SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) સૂત્ર - ૧ ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય (૧૧) સૂત્ર - ૧ ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય ૫૭ -> પુદ્ગલનું એક છત્રી સામ્રાજ્ય → ઉત્પત્તિ, નાશ, અને સ્થિતિની પ્રભુની ત્રિપદીને અનુસરતા વર્તમાન ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો છે. (અનીવાયા: ધર્માંધમાંજાશવુદ્રતા: IIII) પુદ્ગલનું એક છત્રી સામ્રાજ્ય : - - પુદ્ગલદ્રવ્ય મૂળભૂત રીતે જડ છે, પણ ચેતન-જીવ-દ્રવ્યના સંયોગથી આ જગતમાં વિવિધ સ્વરૂપો ધારણ કરી અનેક વિવિધતાઓ લાવે છે. નદી-નાળા-સરોવર-બાગ-બગીચા, વૃક્ષો-પુષ્પો, પર્વતો, હરિયાળીઓ, આકાશમાં વાદળો મેઘધનુષ્ય, કુદરતી સૌંદર્ય, વિગેરે પુદ્ગલોના વિકારો છે. રસવતીની વિવિધ વાનગીઓ કર્ણપ્રિય આહ્લાદક ગીત – સંગીત - નૃત્ય - સ્રીઓના સૌંદર્ય - સ્ત્રી પુરુષના વસ્ત્રો, પુષ્પો અને અત્તરોની સુગંધો, વિગેરે પણ પુદ્ગલના વિકારો છે. દેવલોકના સ્ફટિકમય વિમાનો, વાવડીઓ પાંચે ઇન્દ્રિયોના આકર્ષક સુખદાયક શુભદશાવાળા ભોગો ઇત્યાદિ પુદ્ગલના જ વિકારો છે. વળી તે દરેકના પ્રતિપક્ષી અરૂચિ દુગંછા, ભય, શોકાદિને પેદા કરનારા જન્મ/મરણ, અને જીવનમાં અનુભવાતા અશુભદશાવાળા દુઃખદાયક સંયોગો, નરકના અને પશુયોનિના દુઃખો, ઇત્યાદિ સર્વે આ પુદ્ગલ પદાર્થના શુભાશુભ વિકારો છે, પરિવર્તનો છે. વિશ્વના જીવો આ સધળાપદાર્થોના નિમિત્તે રાગ-દ્વેષ કરી સૂક્ષ્માતિસૂક્ષ્મ કર્મપરમાણુંઓમાંથી શુભાશુભ કર્મપુદ્ગલોને આત્મા સાથે બાંધ્યા કરે છે. તે કર્મો પરિપાક પામી ઉદયમાં આવતાં (સક્રિય બનતાં) તેના પ્રભાવથી જીવ તેવા પ્રકારની શુભાશુભ અવસ્થા પામે છે. ફરી તેમાં રાગ-દ્વેષ કરી,
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy