SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) સૂત્ર - ૧ :- ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય સ્કંધોમાં આઠેય સ્પર્શ (સામાન્યથી) હોય છે. પરંતુ એક સાથે આઠેય સ્પર્શના ગુણો હોતા નથી. ૫૫ કોઈ પણ એક સમયે ૪ જોડકાંમાંનો એક-એક ગુણધર્મ થઈને (૮ માંથી કુલ) ૪ સ્પર્શના ગુણધર્મ એક સાથે હોય છે. એ તો સમજી શકાય તેમ છે કે, ઉષ્ણતા હોય ત્યાં શીતતા ન હોય વિગેરે. હવે આવો બાદર પરિણામી સ્કંઘ (દા.ત. સોનાનો ટૂકડો) જ્યારે સૂક્ષ્મ પરિણામ પામે ત્યારે, ૮ (૪ જોડકા) સ્પર્શના ગુણધર્મમાંથી માત્ર (૨ જોડકા) ૪ જ સ્પર્શના ગુણધર્મ હોય છે. અને એક સાથે તો કોઈ પણ બે જ હોય છે. તે આ મુજબ (૧) શીત કે ઉષ્ણ (૨) સ્નિગ્ધ કે રૂક્ષ હોય છે. બીજા જોડકા (કઠીન-મૃદુ અને ગુરુ-લઘુ)ના ૪ ગુણધર્મ અપ્રગટ બની જાય છે. તેથી તે સ્કંધ (સોનાનો ટૂકડો) અદૃશ્ય (અપ્રગટ) બની જાય છે. ટૂંકમાં તાત્પર્ય એ છે કે, સૂક્ષ્મ પરિણામી સ્કંધોમાં કઠીનતા કે મૃદુતા રહેતી નથી, તેમજ ગુરુતા કે લધુતા પણ રહેતી નથી. તે અગુરુલઘુ હોય છે, અર્થાત તે વજનરહિત બની જાય છે. આ જ કારણે દ્રષ્ટાંતમાં જણાવ્યું તેમ, પારામાં જ્યારે વિશિષ્ટ પ્રક્રિયાથી (સોના (નાસ્સુંઘો)ને સૂક્ષ્મ પરિણામ અવસ્થામાં પરિવર્તિત કરી) સોનું સમાવી દેવામાં આવે ત્યારે તે (વિશિષ્ટ પ્રક્રિયાના પ્રભાવથી, તે સોનાનો સ્કંધ સૂક્ષ્મપરિણામવાળો થઈ જવાથી,) તે સોનું અદૃશ્ય અને વજન રહિત થઈ જાય છે. તેથી ૧ કર્ષ પારામાં ૧૦૦કર્ષ સોનું સમાઈ જવા છતાં, તે પારાનું વજન ૧ કર્ષ અને કદપણ તેટલું જ રહે છે, પારામાં, અદ્રશ્યપણે, સોનું સમાએલું હોય છે. તે સોનું વિપરીત પ્રક્રિયાથી ફરી પાછું પ્રાપ્ત થાય છે. શ્રી તત્ત્વાર્થ સૂત્રના ભાષ્ય પર શ્રી સિદ્ધસેનગણિકૃત ટીકામાં આ વાત જણાવી છે. स्कन्धाः पुनर्बादर परिणाम परिणताः । अष्टस्पर्शा बद्धा एवाणुसंघाताः सूक्ष्मपरिणाम भाजस्तु चतुस्पर्शा एव भवन्ति ।
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy