SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ (૧૦) સૂત્ર-૧- ચાર અવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય (૧૦) સૂત્ર - ૧ :- ચાર અજીવકાય. ૪થું પુદ્ગલો દ્રવ્ય - પુગલ પદાર્થની અચિત્યશક્તિ, એક આકાશપ્રદેશમાં અનંતા પણ સમાવેશ પામે છે. (अजीवकायाः धर्माधर्माकाशपुद्गलाः ॥१॥) વિશ્વના ઘટકભૂત ૬ દ્રવ્યો પૈકી ૪થા પુદ્ગલ દ્રવ્યના સ્કંધોની ૮ વર્ગણાઓ જોઈ. તેઓના વિશિષ્ટ ગુણધર્મને જોઈએ. પરમાણુંવડે આકાશપ્રદેશની વ્યાખ્યા: પ્રવેશે નામાંક્ષિઃ સર્વસૂક્ષ્મસ્તુ પરમાળોવારંઃ (શ્રી તત્ત્વાર્થ સ્વોપન્ન ભાષ્ય પ-૭) અર્થ :- સર્વસૂક્ષ્મ પરમાણું જેટલા આકાશના ક્ષેત્રને રોકીને રહેલો છે, તે પ્રદેશ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, અવકાશનો પ્રારંભિક ઘટક, જે પુગલના અદશ્ય અંતિમ અણુ વડે રોકાયેલો છે, તે પ્રદેશ છે. એક આકાશપ્રદેશમાં અનંત પરમાણુંઓ સમાવેશ પામે. હવે આપણે પરમાણુંઓની અચિન્ત અથવા ચમત્કારિક કહી શકાય તેવી શક્તિ, જે જૈન શાસ્ત્રોમાં વર્ણવી છે, તે જોઈએ. એક આકાશ પ્રદેશને રોકીને એક પરમાણું જયાં રહેલો છે, તે જ આકાશ પ્રદેશમાં બીજો, ત્રીજો યાવતુ અનંત પરમાણુંઓ પણ અવસ્થાન પામીને રહી શકે છે. આ પ્રત્યક્ષ વિરોધાભાસ છે, કારણ કે, એક પરમાણું જ્યારે એક આકાશપ્રદેશને રોકીને રહેલો છે ત્યાં જ બીજો, ત્રીજો યાવતુ અનંત કેવી રીતે સમાઈ શકે ? આ વિરોધાભાસને સમજાવતા કહ્યું કે,
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy