SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) સૂત્ર - ૧ ચાર અજીવકાય. ૪થું - પુદ્ગલ દ્રવ્ય. યુરેનિયમ રેડિયમ ૪૭ (સીસ) ચિત્ર :- યુરેનિયમના રેડીયો એકટીવ રૂપાંતરો ચિત્રમાં સાંકળ અણુંની અંદરથી alfa અને બીટા કણોના છૂટા પડવા વડે થતું બંધારણ બતાવે છે. જુદા જુદા વર્તુળો, તે તે રચાયેલા પદાર્થોનું વજન સૂચવે છે. જૈનશાસ્ત્રો મુજબ સ્થૂલ કે સૂક્ષ્મ દરેક પદાર્થોમાં, સૂક્ષ્મ રીતે વિચારતાં દરેક સમયે ‘પૂરણ’ અને ‘ગલન' બંને હોય છે. અહીં સ્થૂલ રીતે આ ‘ગલન’ સમજવું. પૃથ્વીના પડમાં ખડકો જે યુરેનિયમથી ભરપૂર છે, ત્યાં ઉપર જણાવેલી ધાતુના રૂપાંતરોની પ્રક્રિયા થતી હોય છે. તેને Radio active disintegration કહે છે. એટલે કે આલ્ફા અને બીટા કિરણોના ફેંકવા વડે અણુઓનું તૂટવું તે. આ ખડકોમાં સતત થતું હોય છે. ખડકોમાં યુરેનિયમની સાથે સીસાની ધાતુ ચોક્કસ તુલનાત્મક અંશમાં, સખત રીતે જોડાયેલી હોય છે. ભૂસ્તરશાસ્ત્રીય સંશોધકો, આ બેના ગુણોત્તર વડે તે ખડકોના પુરાણાપણાનું અનુમાન કરે છે. દરેક પદાર્થમાં ‘પૂરણ’ અને ‘ગલન’ વડે જૈનતત્ત્વજ્ઞાનમાં તેવા પદાર્થ માટે ઉપયોગ થતો ‘પુદ્ગલ’ શબ્દ અત્યંત સાર્થક જણાશે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy