SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) સૂત્ર - ૧ - ચાર અજીવકાય૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય ૩૧ વ્યાખ્યા માટે જુઓ પૃ ૩૦૪)) લોકાકાશ અને અલોકાકાશ એમ બે પ્રકારનું છે. એ આકાશ, લોકાલોક પ્રમાણ હોવાથી ક્ષેત્રથી અનંત છે. પરંતુ લોકાકાશની અપેક્ષાએ તે અસંખ્ય છે. આ રીતે જૈન તત્ત્વજ્ઞાનમાં આકાશને લોકાકાશ એટલે પરિમિત વિશ્વ, અને તેની પેલે પાર અનંતઆકાશ, એમ બે વિભાગમાં વિભાજિત કર્યો છે. લોકાકાશ હોય કે અલોકાકાશ હોય, આકાશ સર્વત્ર સમાન છે. જીવ પુદ્ગલાદિ પાંચ દ્રવ્યોનું અસ્તિત્વ જ્યાં છે તે લોકાકાશ છે. તેનું બહારનું અલોકાકાશ ત્યાં કોઈ સરહદ, નિશાની કે દિવાલ ઊભી કરવામાં આવી નથી. આકાશ લોકાકાશનું હોય કે બહારનું એમાં કોઈ ફરક નથી. જેમ હિન્દુસ્તાન કે પાકિસ્તાન આપણે બનાવેલા ભેદો છે, તેનાથી આકાશમાં કોઈ ફરક પડતો નથી. વાસ્તવમાં આકાશ બધે સમાન જ છે. આપણે મમત્વ બુદ્ધિથી, કે વ્યવહાર ચલાવવા કલ્પેલા આકાશના સ્થાનોના ભેદ છે. હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા વખતે સરહદ ઉપર એક પાગલખાનું હતું. તેને શેમાં લેવું તે પ્રશ્ન ઉદ્ભવ્યો, એટલે તેના નિર્ણય માટે તેના પાગલોને પૂછવામાં આવ્યું, “તમારે ક્યાં જવું છે?' જવાબ મળ્યો અમારે ક્યાંય જવું નથી જ્યાં છીએ ત્યાં બરાબર છીએ.” ત્યારે ખુલાસો કર્યો કે-“તમારે ક્યાંય જવાનું નથી, અહીં જ રહેવાનું છે, પણ હિન્દુસ્તાનમાં જવું છે કે પાકિસ્તાનમાં?' ફરી જવાબ મળ્યો કે- તમે પાગલ જેવા છો, કહો છો કે કયાંય જવાનું નથી, અને તેમ છતાં પૂછો છો કે-ક્યાં જવું છે?” - ધર્મ શુદ્ધિ હોય તો વ્યવહારશુદ્ધિ રહે -પરિણામને ટકાવવા હોય તો આલંબન શુદ્ધ જોઈએ. - પૂ.આ.શ્રીવિજયરામચન્દ્રસૂ.મ.સા.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy