SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ (૬) સૂત્ર - ૧ - ચાર અજીવેકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય શકે. આ રીતે નિર્ભેળ શુદ્ધઆકાશ સંભાવ્ય તરીકે જૈન તત્ત્વજ્ઞાનમાં જ છે. જો આકાશ બીજાને જગા આપવાનું કાર્ય કરે છે, તેવી રીતે તે ગતિ સ્થિતિ માટે પણ કારણ બને તો, અલોકાકાશમાં પણ જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિ શક્ય બને. અને જો તેવું બને તો સઘળા પદાર્થો અલોકાકાશમાં વિખરાઈ જાય, અવ્યવસ્થા જ સર્જાય, પરંતુ તેવું નથી. લોકાકાશસ્વરૂપ વિશ્વમાં સઘળી વ્યવસ્થા છે. (the world is cosmos, and not a chaos) તે, ધર્મ અને અધર્મ બે અલગ દ્રવ્યોના અસ્તિત્વના કારણે છે. આકાશ તે (ધર્મ અને અધર્મ) બેનું કાર્ય ન કરી શકે. આ વાતને પંચાસ્તિકાય સારમાં બતાવી છે. आगासं अवगासं गमणट्ठिदिकारणेहिं देदि जदि उड्डगदिप्पधाणा સિદ્ધી વિતિ થિ તી (પંચાસ્તિકાયસાર-૯૯) અર્થ - આકાશ એ, અવકાશ આપવાની શક્તિ ઉપરાંત ગતિ અને સ્થિતિનું કારણ હોય તો, જેમનો ઊંચી તરફ ગતિ કરવાનો સ્વભાવ છે. તે સિદ્ધો વિશ્વની ટોચે શા માટે સ્થિર રહે? સર્વ કર્મથી મુક્ત થયેલા સિદ્ધઆત્માઓ જ્યારે અહીંથી છેલ્લું શરીર ત્યાગ કરે છે. ત્યારે તે કર્મરહિત પરમ શુદ્ધઆત્માઓ સીધા ઉર્ધ્વગતિ કરે છે, અને સિદ્ધશિલાની ઉપર પહોંચી, લોકાકાશના છેડે સ્થિર થઈ જાય છે. કારણ તેની આગળ, એટલે કે, ઉપરના આકાશના વિસ્તારમાં ધર્મ અને અધર્મ નથી. જો આકાશનું કાર્ય ગતિ અને સ્થિતિનું હોય તો તે સિદ્ધઆત્માઓ હજુ પણ આગળ ગતિ કર્યા જ કરે, પણ આવું બનતું નથી. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયમાં સ્થાનનું ઐક્ય હોવા સાથે કાર્ય અને સ્વભાવની ભિન્નતાને કારણે તેઓ અલગ દ્રવ્યો છે. ધર્મ અને અધર્મ વિશ્વમાં અંશભૂત હોવાથી લોકાકાશની મર્યાદામાં છે. વિશ્વના
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy