SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સૂરિ રામની ત્રિપદી - શ્રી તીર્થંકરભગવાન, શ્રીગણધર ભગવાનને ત્રિપદી આપી ક્ષણમાં શ્રુતકેલવી (સંપૂર્ણ શાસ્ત્રજ્ઞાતા) બનાવે છે, તેમજ મોક્ષમાર્ગરૂપે તીર્થની સ્થાપના કરી તીર્થંકરપદને સાર્થક કરે છે. આ મોક્ષમાર્ગને સ્વમત કે બહુમતની અશુદ્ધિ રહિત શુદ્ધરૂપે ભવી જીવો સુધી પહોંચાડવાના પરમ પવિત્ર કર્તવ્યને કારણે શ્રીતીર્થકર ભગવાનના શાસનના આચાર્યોને તીર્થકર ભગવાનની સમાન ગણાવ્યા છે “શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યારે” અને “તિસ્થરસમો સૂરિ લH નો નિમિયં મળવું (ગચ્છાચાર પન્ના) ઉક્તિ વડે શાસ્ત્રોમાં નવાજયા છે. આ ઉક્તિને આબેહૂબ સાર્થક કરનારા પૂ.પાદ.આ.ભ.શ્રી વિજયરામચન્દ્ર સુ.મ.એ બહુ સુંદર ત્રિપદી આપી છે. છોડવા જેવો સંસાર, લેવા જેવું સંયમ, મેળવવા જેવો મોક્ષ. પોતાના ૭૯ વર્ષના સુદીર્ધ સંયમ જીવનમાં પ્રસારિત કરેલા પ્રવચનોમાં આ ત્રિપદીનો નાદ ગુંજતો હતો. શાસ્ત્રાનુસારી વિચારધારાને સુદઢ કરી મોક્ષમાર્ગને ભવી જીવોના હૃદય સુધી પહોંચાડનારા હતા. ભગવાને ભાખેલા કલિકાલમાં થનારા ૨૦૦૪ યુગપ્રધાન, અને અનેક સુવિહિત ભાવાચાર્યોની કક્ષામાં સ્થાન પામનારા વિશિષ્ટ કોટિના હતા. ભગવાન, મોક્ષમાર્ગના પ્રકાશક છે, તો ભાવાચાર્યો યથાસ્થિત મોક્ષમાર્ગના દર્શક છે. સંસાર અસાર એટલે શું?:- સંસાર અસાર ! આ વાત તો તમે હજારો વાર સાંભળી છે. પણ એનું રહસ્ય સમજો છો ખરા ? જિનવાણીનો સાર જ એ કે સંસાર અસાર. સંસાર અસાર એટલે સંસારનું સુખ અસાર. કારણકે દુઃખ ભલે જીવને ખરાબ લાગતું હોય, પણ એની ઉત્પત્તિ તો પાપથી જ છે, અને પાપ થાય છે સુખ માટે. એથી સૌથી પહેલાં તો સંસારના સુખ જ ભૂંડા છે. સંસાર અસારનો અર્થ સંસારના સુખ અસાર, એમ સમજાયા પછી જ ધર્મની શરૂઆત થાય. - પૂ.આ.ભ.શ્રી વિજયરામચન્દ્ર સૂ.મ.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy