SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ (૫૯) સૂત્ર - ૩૮ - કાળનું સ્વરૂપ (૫૯) સૂત્ર - ૩૮ - કાળનું સ્વરૂપ છે > કાળ, એ સમયનો પ્રવાહ છે. તે નિરંતર ચાલે છે. તે સમય બગડતો કે સુધરતો નથી. મારો, તમારો કે સારો, ખરાબ કાળ, વિગેરે ઔપચારિક છે. -> બીજા દ્રવ્યો કરતાં, કાળ બહુ વિલક્ષણ છે. - દરેક કાર્યની સિદ્ધિમાં કાળ, એ કારણ ઘટક છે. (નિત્ય પરૂિઢા) - કાળ, એ સમયનો પ્રવાહ છે. તે નિરંતર ચાલે છે. તે બગડતો કે સુધરતો નથી... કાળ એ સમયનો પ્રવાહ છે. કાળ નિરંતર ચાલ્યા કરે છે. કાળ ક્યારેય કોઈનાથી રોકાતો નથી. કાળ ઝડપથી પણ નથી ચાલતો અને ધીરે-ધીરે પણ નથી ચાલતો. તે એકસરખી ગતિથી પસાર થાય છે. આપણી અતિઉત્સુકતા કાળને ધીરો ચાલે છે.” બહુ સમય લાગ્યો, વિગેરે માનવા પ્રેરે છે, અને આપણા મનની શાંતિ “કાળ ઝડપથી પસાર થઈ ગયો.” બહુવાર ન લાગી તેમ માનવા પ્રેરે છે. સુખના દિવસો જલદી પસાર થઈ જાય છે અને દુઃખના દિવસો મહિના કે વર્ષો જેવા લાગે છે. આ બધુ માનસિક પરિસ્થિતિમાંથી થયેલું છે. એટલે એ બધું ઔપચારિકતાથી વ્યવહાર કરાય છે, વાસ્તવમાં જોવા જઈએ તો, સમય નથી જતો, આપણે ચાલ્યા જઈએ છીએ, આપણું જીવન ચાલી જાય છે. સમય તો છે, હતો અને રહેવાનો. આપણે જે સમયે જે કરવાનું હતું, તે સમયે તે ન કર્યું એટલે સમય ચાલ્યો ગયો, એમ પ્રયોગ કરીએ છીએ. Time and tide wait for none (સમય અને દરિયાના મોજા કોઈની રાહ જોતા નથી) Time is money (સમય એ જ પૈસા છે)
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy