SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન હોય તે આ સૂત્ર દ્વારા સૂચિત કર્યું. શ્રી તત્ત્વાર્થસૂત્રની શ્રીસિદ્ધસેનગણિકૃત ટીકામાં જણાવ્યું છે કે युगपदवस्थायिनो गुणा रूपादयः, अयुगपदवस्थायिनो पर्यायाः । અર્થ - રૂપાદિ ગુણો એકસાથે રહે છે, પર્યાયો એક સાથે રહેનારા હોતા નથી. દ્રવ્યો અને ગુણો ઉત્પન્ન થતા ન હોવાથી નિત્ય છે. અનાદિ-અનંત છે. પર્યાયો પ્રતિસમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેથી અનિત્ય (સાદિ-સાંત) છે. પર્યાયોની અનિત્યતા પણ વ્યક્તિની અપેક્ષાએ છે, પ્રવાહની અપેક્ષાએ પર્યાયો પણ નિત્ય છે. પર્યાયોનો પ્રવાહ સતત ચાલુ જ છે. તેનો આરંભ કે અંત નથી. આથી જ દ્રવ્યો, પર્યાયોના પ્રવાહના સાતત્યને કારણે, ક્યારેય પર્યાયોથી રહિત પણ હોતા નથી. ગુણોના અવાંતર પ્રકારો, એ જ પર્યાયો છે. એ રીતે પર્યાયો એ ગુણો જ છે. ગુણો અને પર્યાયો વચ્ચેનો ભેદ જણાવતાં ટીકામાં જણાવ્યું છે કે – व्यवहारनयसमाश्रयेण तु गुणाः पर्याया इति वा भेदेन व्यवहारः प्रवचने, वस्तुतः पर्याया गुणा इत्येकात्म्यम् । અર્થ - વ્યવહારનયથી ગુણો અને પર્યાયોમાં ભેદ છે. વસ્તુતઃ પર્યાયો અને ગુણો એકરૂપ છે. આ રીતે, દ્રવ્યનું લક્ષણ, વિશ્વના સઘળા દ્રવ્યોને યથાર્થ રીતે ઓળખાવે છે. આ જેનતત્ત્વજ્ઞાનની મૌલિકશૈલી છે. - સત્ અને દ્રવ્ય, બંનેના સ્વરૂપની તુલના:- પૂર્વે સત્ નું લક્ષણ બતાવ્યું. તે ત્રણ હતા. ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા. તેમાં ઉત્પત્તિ અને નાશ (આ બે અંશ છે,) તે પર્યાયો છે, અને જે સ્થિરતારૂપ અંશ છે, તે દ્રવ્ય (અને ગુણ) છે. દ્રવ્ય અને તેમાં રહેલા) ગુણ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy