SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧) સૂત્ર - ૨૯ :- સત્ ની વ્યાખ્યા તે પણ સત્ છે. (૫) સંસ્કાર ઃ- જે સત્ છે તેના સંસ્કાર કાયમ રહેવાના. દા.ત. વિક્રમરાજા અત્યારે હયાત નથી, પરંતુ તેમનો આત્મા જગતમાં ક્યાંય પણ વિદ્યમાન છે. અને તેમના આત્મામાં વિક્રમરાજાની ભૂતકાળની વિદ્યમાન અવસ્થાના દરેક ઘટનાના સંસ્કારો પડેલા છે. (તે ક્યારેય લોપ થશે નહિ). તેમનો પૂર્ણજ્ઞાની બનશે ત્યારે પોતાના ભૂતકાળ તરીકે જોઈ શકશે. સર્વજ્ઞ આત્મા પોતાના અને બીજા આત્માઓના અને કોઈપણ પદાર્થમાત્રના, ભૂતભવિષ્યની અનંત અવસ્થાઓને જુએ છે, જાણે છે. ૨૯૩ જગતમાં આવી સત્ વસ્તુઓ અનંત છે. પણ તે બધાનો સમાવેશ પાંચમાં થઈ જાય. એટલે તે પાંચ દ્રવ્યોનું વર્ણન કરીને તેને સત્ ‘સંજ્ઞા’ અહીં આપી. સત્ પાંચ જ છે. છઠ્ઠું કોઈ ‘સત્’ નથી. આ પાંચ સત્મય આ જગત છે. → દરેક સત્ વસ્તુ, ત્રિગુણ સ્વભાવવાળી છે : દરેક સત્ વસ્તુમાં ૩ ગુણ અવશ્ય હોય છે, તે આ સૂત્રદ્વારા જણાવ્યું. આ રીતે આખું જગત્ (એટલે કે પાંચ દ્રવ્યો) ઉત્પાદ, વ્યય અને ધૌવ્ય ૩ ગુણ યુક્ત છે. વિશ્વ આ ત્રયાત્મક છે. વિશ્વ સત્ છે માટે શાશ્વત છે, સદા કાળ છે. આ સઘળું વિશ્વ, પાંચ અસ્તિકાયમાં વિભાજિત કરી બતાવ્યું. તેમ આસૂત્રથી સઘળું વિશ્વ, સઘળા પદાર્થો ત્રયાત્મક છે. એટલે કે ઘટ, પટ, મકાન, આપણે પોતે સહિત બધા વ્યક્તિઓ, આકાશ, વાદળ, આદિ બધું જ ત્રયાત્મક છે. ઉત્પાદ = ઉત્પત્તિ, વ્યય નાશ અને ધૌવ્ય = સ્થિરતા (સ્થાયી આધાર). (તેની વિશેષ સમજૂતિ માટે જુઓ પૃ ૧૭, ૨૦, ૫૮ અને ૨૯૫થી ૩૦૦) ત્રણેમાંથી એકને પણ ન માનો તોયે ન ચાલે. વળી ત્રણેય એકી સાથે, એક જ કાળમાં, દરેક પદાર્થમાં ઘટે છે. આવું શ્રીતીર્થંકર પરાત્માઓએ બતાવ્યું છે. =
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy