SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ (૪૬) સૂત્ર - ૨૨ - કાળ દ્રવ્ય-કાળનું કાર્ય > (૪) પરત્વ અને અપરત્વઃ જૂનું, નવું કાળના આધારે થાય છે - પરત્વ અને અપરત્વ (૧) પ્રશંસા (૨) ક્ષેત્ર અને (૩) કાલથી એમ ૩ પ્રકારનું છે. દા.ત. સોનું કે કોહીનૂર હીરો વિગેરે સર્વોત્તમ હોવાથી તેમાં પરત્વ છે. બીજા (લોઢે આદિ અને સામાન્ય રત્નાદિ)માં અપરત્વ (હીનતા) છે. આ (૧) પ્રશંસાકૃત થયું. આપણાથી દૂર હોય તેમાં પરત્વ અને નજીક હોય તેમાં અપરત્વ. આ (૨) ક્ષેત્રના કારણે થયું. ત્રીજા પ્રકારે, વયથી અધિક હોય તેમાં પરત્વ (જૂનુ) અને વયથી નાનો હોય તેમાં અપરત્વ (નવું) આ (૩) કાલકૃત થયું. આ સઘળામાંથી અહીં કાળકૃત જ પરત્વ કે અપરત્વ (જૂનું, નવું, યુવાન, વૃદ્ધ વિગેરે) લેવાનું છે. તે જ કાલનું કાર્ય છે. પ્રશંસા અને ક્ષેત્રથી જે પરત્વ કે અપરત્વ છે, એ કાલના કાર્ય ન સમજવા. - આ ચારેય કાલના કાર્ય છે. એટલે કે કાળ દ્રવ્ય આ ચારેયમાં સહાય કરે છે. - કાળની આવશ્યકતા:- કાળ શાના આધારે રહે છે? વિશ્વના સઘળા દ્રવ્યોને સતત વિદ્યમાન રહેવા (વર્તના આદિ-૪) માટે શક્તિમાન કરે છે. એટલે કે (કાળ વિનાના) પાંચેય દ્રવ્યોને સતત વિદ્યમાન રહેવા (આદિ-૪)માં કાળ, સહાયક છે. જેવી રીતે કુંભકારના ચક્રમાં મધ્યમાં રહેલી ખીલી, તેને સમતુલનમાં રહેવા માટે અને ચક્રગતિ માટે આધાર છે. તેમ વિશ્વના પદાર્થોના અસ્તિત્વ આદિ-૪ માટે કાળ આધાર છે. પ્રશ્ન - કાળ જો બધાને રહેવા આદિ-૪માં સહાય કરે છે, તો કાળને રહેવા આદિમાં આધાર કોણ છે? કાળ શાના આધારે રહે છે? ઉત્તરકાળને સતત વિદ્યમાન રહેવા માટે કોઈની જરૂર નથી. તે સ્વયં પોતાના આધારે રહે છે. કાળના અસ્તિત્વાદિનો આધાર બીજુ દ્રવ્ય માનીએ તો, તે બીજુદ્રવ્ય કોના આધારે માનવું? આ રીતે અનવસ્થા (અનિષ્ટ કે અવાસ્તવિક પરંપરાની કલ્પના) આવશે. (એટલે કે તેનો કોઈ અંત નહિ આવે, અથવા તેનું કોઈ સમાધાન મળશે નહિ). આ રીતે એ નિશ્ચિત છે કે, કાળ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy