SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૧થી ૭ હાથ પ્રમાણ) હોય છે, અને તે જીવનભર ટકે છે. મૂળ શરીર ઉપરાંત વધારાનું બીજું (ઉત્તર) વૈક્રિયશરીર બનાવી શકે છે. તે અનેક માપનું બનાવી શકે છે. નાનું મોટું અને અનેક પ્રકારની મુખાકૃતિવાળું, તેમજ પશુ આદિની આકૃતિવાળું, જેવું ઇચ્છે તેવું બનાવી શકે છે. તે અલ્પકાળ ટકે છે. આ રીતે તે શરીરમાં અનેક વિક્રિયાઓ થઈ શકતી હોવાથી તેને વૈક્રિયશરીર કહેવાય છે. → રૂધિર, ચરબી, માંસ, હાડકા આદિ વિનાનું વૈક્રિયશરીર દેવોનું અને નારકોનું હોય છે ઃ દેવો અને નારકોને જન્મથી જે વૈક્રિયશરીર બને છે, તે મનુષ્યપશુના ઔદારિકશરીર જેવી રીતે બને છે તેવી રીતે, પું.બીજ-સ્ત્રીબીજ આદિથી થતા ઈંડા, ગર્ભ આદિની પ્રક્રિયા જેવી પ્રક્રિયાથી બનતું નથી. પરંતુ દેવલોકમાં આવેલી નિશ્ચિત ઉપપાત શય્યામાં રચાય છે. તે શય્યામાં દેવોના શરીરને ઉત્પન્ન થવાની પુદ્ગલસ્કંધોના સંયોજનવાળી યોનિ રહેલી હોય છે. ત્યાં યથાકાળે તેવા પ્રકા૨ના પુણ્યકર્મવાળો જીવ આવીને અંતર્મુહૂર્ત (૪૮ મિનિટની અંદરના) કાળમાં પરિપૂર્ણ યુવાન શરીર બનાવી લે છે. તેઓનો જન્મ જે શય્યામાં થાય છે તેને ઉપપાત શય્યા કહેવાય છે. દેવોના જન્મને જણાવતો આ ‘ઉપપાત’ શબ્દ છે. વૈક્રિયશ૨ી૨માં લોહી, માંસ, હાડકા વિગેરે હોતા નથી. પોચા રબર જેવું, કે માખણ જેવું સ્નિગ્ધ સ્પર્શવાળું શરીર હોય છે. દેવોનું સર્વથા નિરોગી હોય છે. દુર્ગંધી પરસેવો, વિષ્ટા, મૂત્ર વિગેરે અશુચિ હોતી નથી. આપણી જેમ પકાવેલી રસોઈનો આહાર હોતો નથી. તેઓને ભૂખ લાગે એટલે પોતાની ઇચ્છા મુજબના સુંદર રસમય વૈક્રિય પુદ્ગલોનો સંચાર શરીરમાં થઈ જવાથી, જમ્યા પછી ધરાઈ ગયા જેવી તૃપ્તિ થાય છે. આ તેમનો આહાર છે. તેઓ ગર્ભ આદિથી ઉત્પન્ન થતા નથી, તેથી પુત્ર
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy