SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) સૂત્ર - ૧૯ :- જીવોના પાંચ શરીરો-ઔદારિક શરીર-પર્યાપ્તિઓ. ૧૯૯ પ્રાકૃતિક ઔષધો શરીર સાથે એકરસ થાય તેવા હોય છે. અપ્રાકૃતિક ઔષધો શ૨ી૨માં એક રસ થતા નથી તેથી કોઈને કોઈ વિક્રિયા કરે છે. વળી અમુક સમય પછી તે ઔષધો અસરકારક નથી રહેતા. પૂર્વના ઘણા ઔષધો બિન અસરકારક થઈ ગયા છે. એટલે વાસ્તવમાં તે ઉપચાર કરવા યોગ્ય ગણાય જ નહિ. આયુર્વેદના ઔષધો વર્ષોથી ચાલ્યા આવે છે. પરંતુ તેની યોજના કરનાર પૂરેપૂરા જાણકારો વર્તમાનમાં નથી. પૂર્વે જે હતું અને વર્તમાનમાં જે છે, તે. તે સઘળાની ઉપરવટ કુદરત છે. માનવીય પ્રયત્નો દ્વારા અદ્ભુત કહી શકાય તેવી શરીરની સંરચના કરવી શક્ય નથી, અને પોતાની ઇચ્છા, અને પ્રયત્ન મુજબ તેને સ્વસ્થ રાખી, અને ચલાવી શકાય તે તે શક્ય નથી. એ કરામત પુણ્યકર્મની છે. શરીરને જીવંત અને સ્વસ્થ રાખવામાં નિર્ણાયક કર્મસત્તા છે ઃભૌતિક વિજ્ઞાન એકસારી કીડી પણ, કદી બનાવી શકશે નહિ : પ્રયોગશાળામાં ક્યારેય શરીર બનાવી શકાતું નથી. તેના એકેએક અંગોપાંગો, તેની રચના અને તેના કાર્યો જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્ય પામે છે. કહેવાય છે કે, આઇન્સ્ટાઇને એવા ભાવનું કહેલું કે “ભૌતિક વિજ્ઞાન એક સારી કીડી પણ, કદી બનાવી શકશે નહિ.’’ શરીરયંત્રની રચનામાં આવેલા એક અંગ હૃદય માટે વિચારીએ તો કુદરતની કેવી અદ્દભુત કમાલ છે કે, આ એક નાનકડો પંપ, ૧૦૦ વર્ષ સુધી સતત કાર્યરત રહે છે. શરીરના ખૂણે ખૂણે, દરેક નસો, અને માંસપેશીઓમાં પૂરેપૂરી રીતે લોહી પહોંચાડવાનું કાર્ય કરે છે. દિવસ-રાત ત્રણે ય પાલીમાં કાર્ય કરે છે, તેના મેઇન્ટેનન્સ માટે બીજો કોઈ વૈકલ્પિક પંપ નથી. તે કઈ રીતે રીપેર થઈ જાય છે, કઈ રીતે તેને ઉર્જા મળતી રહે છે, કઈ રીતે ચાર્જ થાય છે, પોતાના ઘસારાને પહોંચી વળે છે, અને પોતાની સ્થિતિને જાળવી રાખે છે. આ એક આશ્ચર્ય છે. આ તો એક
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy