SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩) સૂત્ર-૧૮ :- આકાશનું કાર્ય :- જગા આપવી. પરંતુ જૈન આવૃત્તિ જ્યાં જ્યાં બ્રાહ્મણ ધર્મના રામાયણથી જુદા પડે છે, ત્યાં ત્યાં તે જૈન ધર્મની સ્થિતિ વિષે અત્યંત અર્થપૂર્ણ પ્રકાશ પાથરે છે. જૈન આવૃત્તિ પ્રમાણે રાવણ અને તેમના રાક્ષસો વિદ્યાધરોની જાતિના ઉચ્ચ કક્ષાના સંસ્કારી અને જિનના પરમ ભક્તો હતા. અહીં હિંદુ પુરાણોની જેમ, તેમને ભયંકર દેખાતા, દુષ્ટ સ્વભાવવાળા, અધાર્મિક રાક્ષસો, પિશાચો અથવા અસુરો તરીકે ચીતરવામાં આવ્યા નથી. પરંતુ ચોક્કસ રીતે તેમને વૈદિક સાધુઓના યાજ્ઞિકસંપ્રદાયના પ્રતિસ્પર્ધીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ડૉ. ભટ્ટાચાર્યે નિરીક્ષણ કર્યું છે તે પ્રમાણે, “આ બંને અહેવાલોને એક સાથે રાખીને વિચાર કરતાં કેટલાક વર્તમાનકાલીન વિદ્વાનો ઉગ્રપણે ભારપૂર્વક જણાવે છે, કે રાક્ષસો જૈનો હોવાથી તેમને વૈદિક પ્રજાએ ફજેત કરેલા, વળી તેઓ જણાવે છે કે વાલ્મિકીના રામાયણમાં કરવામાં આવેલા રાક્ષસોના વર્ણન સ્પષ્ટ રીતે દર્શાવેલા છે કે, તેઓ જૈનો સિવાય, બીજા કોઈ ન હોઈ શકે અને રામાયણના ગ્રંથકર્તાએ કેવળ ધર્માંધપણાને લીધે તેમને બિહામણા સ્વરૂપે રજૂ કર્યાં છે.” (જૈન દંતકથાઓના મુખ્યનાયકો જે. એ. XV) ૧૮૩ એફ. ઈ. પરગીટર ભારપૂર્વક દર્શાવે છે કે, “હિંદુઓ જૈનો પ્રત્યે અસુરો અથવા દૈત્યો તરીકે (ધિક્કાર વિગેરે સૂચવતા શબ્દોથી) વર્તન કરતા.” (પ્રાચીન ભારતીય ઐતિહાસિક પ્રણાલિકા, લંડન ૧૯૨૨) એડકીન્સ કહે છે કે, “શ્રી હોડ પણ એમ ધારે છે કે જૈનો માટે અસુરો અને રાક્ષસો (જોસેફ એડીકન્સ ચીની બુદ્ધધર્મ લંડન-૧૯૨૨) જેવા શબ્દોનો ઉપયોગ કરતા હતા. અને શ્રી એફ. ઓલ્લામ પણ એવો અભિપ્રાય દર્શાવે છે કે બૌદ્ધ અને જૈન બંને પદ્ધતિઓ સૂર્ય અને સર્પ સાથે ગાઢ રીતે સંકળાયેલી હતી. અને સૂર્યવંશી જાતિઓમાંથી તેઓને ખાસ ટેકેદારો મળેલા. સૂર્યવંશીઓ પર બ્રાહ્મણ ધર્મની બહુ ઓછી અસર થયેલી.”
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy