SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) સૂત્ર - ૧૭ :- આગમ અને તર્ક ૧૭૫ (નિમગ્નાનદી) :- દક્ષિણભરતક્ષેત્રના મધ્યભાગથી પશ્ચિમ દિશાએ રહેલી તમિસ્રાગુફાના દક્ષિણદ્વારથી ગુફાની અંદર ૨૧ યોજન દૂર જઈએ ત્યાં, પહેલી ‘ઉન્મન્ના' નદી, ૩ યોજન ઉત્તર-દક્ષિણ વિસ્તારવાળી, અને ગુફાની પહોળાઈ પ્રમાણે ૧૨ યોજન લાંબી છે. તે તમિસ્રાગુફાના પૂર્વદિશાના કડાહ (શિલામય ભીંત)માંથી નીકળી પશ્ચિમ દિશાના કડાહમાં થઈ સિંધુ નદીને મળે છે. આ નદીમાં તૃણ, કાષ્ઠ, પત્થર આદિ જે વસ્તુ પડે તે ભારે હોય તો પણ નીચે ડૂબી જતી નથી, પરંતુ ઉપર તરતી રહીને પાણીના મોજાથી ૩ વાર અફળાતી નદીના કિનારા પર આવી જાય છે, પણ પાણીમાં રહેતી નથી. માટે એનું નામ (મગ્ન =ડૂબેલી. તેને ઉત્ ઉપસર્ગ લાગવાથી વિપરીત અર્થ થતો હોવાથી =) ઉપર રહેતી વસ્તુવાળી ‘ઉન્મના’ સાર્થક નામ છે. આ નદીથી ૨ યોજન ઉત્તર તરફ એવી જ બીજી નદી છે, તેનું નામ ‘નિમગ્ના’ છે. તે નદીના જળનો સ્વભાવ એવો છે કે તેમાં તૃણ, કાષ્ઠ પત્થર આદિ સર્વે જે કંઈ હલકી હોય તો પણ ૩ વાર હણાઈને નીચે ડૂબી જાય છે, તરે નહિ (નિમજ્જતિ એટલે ડૂબવું) તેથી તેનું નામ નિમગ્ના સાર્થક છે. આવી જ રીતે પૂર્વદિશામાં ખંડ પ્રપાતા ગુફામાં પણ આ નામની આવી બે નદીઓ છે. તે ગંગા નદીને મળે છે. અહીં પણ આ ક્ષેત્રને કા૨ણે પાણીનો વિશિષ્ટ ગુણધર્મ જાણવો. (૪) સમુદ્રના પાણીના વિવિધપ્રકારના સ્વાદ :- આ લવણ સમુદ્રનું પાણી સહજથી જ ખારુ, (લવણયુક્ત). તેમજ તે પછીના અસંખ્ય સમુદ્રોનું પાણી સહજથી જ દૂધ, ઘી, દહીં, શેરડી, દારૂ વિગેરે ભિન્ન ભિન્ન સુંદર સ્વાદવાળું છે. તે તે ક્ષેત્રના સ્વભાવને કારણે પાણીનો સ્વાદ જાણવો. (૫) ભૌતિક પદાર્થ અદૃશ્ય અને વજન રહિત બની જાય ઃ- પૃ. ૫૧થી ૫૪ ઉ૫૨ જણાવ્યા મુજબ ‘સૂક્ષ્મ પરિણામ' પામવાના આશ્ચર્યકારી ગુણધર્મથી દ્રવ્ય તેવા તેવા વિપરીત સ્વભાવવાળું જાય છે. (૬) મનુષ્યોના શરીર, બળ, આયુષ્ય ભાવો વિગેરે, તેમજ પુદ્ગલના
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy