SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વાયુને રંગ (વર્ણ) છે. જૈનમતમાં તેને પુલના વિભાગમાં જણાવ્યું છે. વળી આ મત, અગ્નિ(તેજ)ને રસ અને ગંધ રહિત અને, ફક્ત સ્પર્શ અને રંગ સહિત માને છે. આધુનિક વિજ્ઞાન અગ્નિને સ્પષ્ટપણે પુદ્ગલના વર્ગમાં બતાવે છે. “જ્યારે પદાર્થમાં આવિક ઉત્તેજનાની ઉર્જા (energy of molecular agitation) ઘણી વધી જાય, ત્યારે ઉષ્ણતામાન વધે છે અને અગ્નિની ઉત્પતિ થાય છે. તે એક ઉર્જાનું સ્વરૂપ છે. ઉર્જા અને પુદ્ગલ એક જ છે. અગ્નિ એ ઉષ્ણપ્રજવલન સુધી પહોંચેલા કણોને બનેલો છે. તેથી અગ્નિ પુદ્ગલ પદાર્થનું એક સ્વરૂપ જ છે. વિજ્ઞાન મુજબ જ્યોત, એ ઉતપ્ત પદાર્થની બનેલી છે જે દહનની ક્રિયા દ્વારા, ઊંચા ઉષ્ણતામાને લઈ જવાય છે. જયોત ફક્ત ત્યાં સુધી જ જલતી રહે છે જ્યાં સુધી દહનક્રિયા ચાલે. બળતા પદાર્થને તેજોમયદીપ્તિમાન રાખવા તેમાં પૂરતું ઊંચું ઉષ્ણતામાન જાળવી રાખવામાં આવે. જે પદાર્થ બળી રહ્યો છે તે, અને તેની આસપાસનું વાતાવરણ તે બે વચ્ચેની ક્રિયા અને પ્રતિક્રિયા એ જ્યોત છે. ચોક્કસ રાસાયણિક અને ભૌતિકપ્રક્રિયાની બાહો નિશાની જયોત છે” (આઉટલાઈન ઓફ ઈવોલ્યુશનરી બાયોલોજી – ડૉ. ડેઝી પેજ-૨) આ રીતે અગ્નિ પણ પુગલ પદાર્થનો એક પ્રકાર છે. વળી તે મત પૃથ્વીમાં જ ગંધને માને છે. પરંતુ પાણી, અગ્નિ અને વાયુ ત્રણેમાં ગંધ હોય છે. મનુષ્યની પ્રાણેન્દ્રિય (નાક) એટલી સંવેદનશીલ નથી કે આ ત્રણેની ગંધને પકડી શકે. દિશાનો જૈનમત મુજબ આકાશમાં સમાવેશ થઈ જાય છે. મન જે સંજ્ઞી પંચેન્દ્રિયજીવને વિચારાદિનું સાધન છે, તે પણ પૌદગલિક છે. આ રીતે ૯નો, દમાં સમાવેશ થઈ જાય છે. ચંચળ મન અધ્યાત્મ ક્રિયાઓ દ્વારા સ્થિર થાય છે - ખરેખર આ મન એ, પુદ્ગલની એવી રચના છે, જે અત્યંત ચંચળ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy