SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ જેને તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અને ભાખી શકાય. જો મનુષ્યમાં મુક્ત વિચારો, વિવેકબુદ્ધિ, સ્વાર્થ, ત્યાગ, સામાજિક વિચારો અથવા દયાનો ભાવ આ બધી શક્તિઓ - વિદ્યમાન હોય તો તે વિજ્ઞાનના ક્ષેત્રની બહાર છે તેથી આવતીકાલનું વિજ્ઞાન આવી શક્તિઓ જેવી કે સામાન્ય રીતે આપણે માનીએ છીએ તે વિચાર, આત્મા, ઇચ્છા, કે ઉદ્દેશ્ય ઇત્યાદિનો સમાવેશ ન કરી શકે.) જો કે એટલું તો સર્વને માન્ય અને સ્વીકાર્ય છે કે - વિચાર, ઇચ્છા, ઉદ્દેશ્ય જાણવું, સમજવું, સુખ દુઃખની લાગણી આ ગુણધર્મો અભાવ (અસ્તિત્વવાળા પદાર્થ) માં ન હોઈ શકે. ઈચ્છાદિ અસત્ પદાર્થનું કાર્ય ન હોઈ શકે. તેમજ પુદ્ગલાદિ અજીવ દ્રવ્યોમાં પણ ઘટી શકે નહિ. તેથી ઈિચ્છાદિ ગુણધર્મો ધરાવનાર દ્રવ્ય તરીકે આત્મદ્રવ્ય (જીવ)નું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તે વિજ્ઞાનની મર્યાદા બહારનો વિષય છે. તો પણ વૈજ્ઞાનિકો એક તાર્કિક ચિંતકો તરીકે શરીર અને બુદ્ધિની ઉપરવટ અંતઃસ્થ (Heavensent) એવું સંચાલક તત્ત્વ માને છે. પણ તેને તેઓ ઉર્જા સ્વરૂપે માને છે. વૈજ્ઞાનિકો આત્મા શોધે છે - દક્ષિણ આફ્રિકાના એક ડૉકટર અને એક ઈજનેરે કરેલા તારણો લંડનમાં scientists seek soul ના શીર્ષકથી પ્રકાશિત થયા હતા તેનો કેટલોક ભાગ : “એક ડૉક્ટર અને ઇજનેરે વિચાર કર્યો કે જીવનનું રહસ્ય કોઈ પ્રકારની ઉર્જામાં છે? મોટે ભાગે વિદ્યુત સંબંધી ઉર્જામાં રહેલું છે. નાજુક ઉપકરણો ઈજનેર વડે બનાવાયા અને પ્રયોજાયા. પ્રાણીઓ ઉપર પ્રયોગો કર્યા. તેઓએ તેનાથી એટલું નક્કી કર્યું કે દરેક પ્રાણી ચોક્કસ વિદ્યુતભાર Electric charge સાથે જન્મે છે, તેઓએ આ શકિતને નોંધીને કોઠા પડ્યા. તેઓએ એમ શોધ્યું કે વધારે બુદ્ધિશાળી પ્રાણીમાં નાના કરતા વધારે વિદ્યુતભાર હતો. મૃત્યુ સમયે તે અદ્રશ્ય થઈ ગયો. પ્રાણીઓના પ્રયોગમાં તેઓએ નોંધ્યું કે જયારે પ્રાણી પ્રજનન કરતું
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy