SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯) એવી જ રીતે પોતાની પર્યાયમાં સર્વજ્ઞશક્તિ ત્રિકાળ પડી છે તેમ નિશ્ચય કરી, નિજ સ્વરૂપનું આલંબન લેવાથી પર્યાયમાં સર્વશપણું પ્રગટ થાય છે, પરને જાણતાં પ્રગટ થાય છે એમ નથી. સ્વને જાણ્યા વગર સુખી થવાનો બીજો કોઈ ઉપાય નથી. ૨૦) માટે પરને જાણવાના ક્ષોભથી-આકાંક્ષોથી વિરામ પામી, સ્વસ્વરૂપના આશ્રયે પરિણમવું ને ત્યાંજ રમવું, ઠરવું ને લીન થવું તે જ સર્વશ થવાનો માર્ગ છે. તે જ સુખી થવાનો એક જ ઉપાય છે. Wપરિણમ્ય - પરિણામકત્વ શક્તિ અને આત્માનુભૂતિ કર્ય-કારણ અને શેય-શાયક સંબંધ ૧) આત્માને પરની સાથે કારણ-કાર્યપણાનો જરાય સંબંધ નથી (કાર્યકારણન્ત શક્તિ). પરની સાથે કારણ-કાર્યપણું ન હોવા છતાં, આત્મા પરને જાણે ને પોતે પરના જ્ઞાનમાં જણાય.. એવો શેય-જ્ઞાયકપણાનો સંબંધ છે. તે આ શક્તિ બતાડે છે. પરયોના જ્ઞાનરૂપે પોતે. પરિણામે એવી પરિણમ્ય શક્તિ.... (પ્રમાણ-પ્રમાતા સ્વભાવને લીધે) અને મેતાના જ્ઞાનાકારોને સામાના જ્ઞાનમાં જણાવે (જ્ઞય કરે) એવી પરિણામક શક્તિ... (પ્રમેય સ્વભાને લીધે) આવા સ્વભાવને પરિણમ્ય-પરિણામક શક્તિ કહેવામાં આવે છે. ૩) ૧) પરિશખ્ય : આત્માને પરિણમ્ય કહ્યો ત્યાં કાંઇ સામા શેયો તેને પરિણાવતા નથી, પણ સામે જેવો જોયો છે તેવું જ્ઞાનનું પરિણમન પોતાના સ્વભાવથી થાય છે. જ્ઞાનમાં તે જાતના પરિણમનની તાકાત છે. ૨) પારિશામિક: આત્માને પરિણામિક કહ્યો તેથી કાંઇ સામાના જ્ઞાનને આત્મા પરિણામાવે છે એમ નથી, પણ પોતે શેયપણે સામાના પ્રમાણ જ્ઞાનમાં ઝળકે છે એવો તેનો સ્વભાવ છે. એવો શેય થવાનો આત્માનો સ્વભાવ છે. ૪) આત્મા પોતે બીજાને જાણે, તેમજ બીજાના જ્ઞાનમાં પોતે જણાય, આવા બંને સ્વભાવ આત્મામાં એકસાથે વર્તે છે, તેનું નામ પરિણમ્ય-પરિણામકન્ત શક્તિ છે. ૫) પરનું જે નિમિત્ત છે એવા જોયાકારી તેને આત્મા જ્ઞાનથી જાણે છે અને આત્મા પોતે જેનું નિમિત્ત છે એવા પોતાના જ્ઞાનાકારો બીજાના જ્ઞાનમાં પ્રમેય થાય છે. આવી રીતે પ્રમાતા અને પ્રમેય થવાની આત્માની તાકાત છે. આવી રીતે જ્ઞાતા અને શેય થવાની આત્માની તાકાત છે. ૬) સામા જે અનંત શેયો (બ્રય પદાર્થો) તેમના જોયાકારો એટલે કે તેમના દ્રવ્ય-ગુણ-પર્યાયો તેમનું કારણ તે પદાર્થો છે. આત્મા તેનું કારણ નથી, આત્મા તેનો જ્ઞાતા છે. જ્ઞાન કરવાની અપેક્ષાએ આત્મા પરિણમ્યું છે. સામાના જ્ઞાનમાં શેય થવાની અપેક્ષાએ આત્મા પરિણામક છે. જગતના બધા શેયાકારોને જાણવારૂપે આત્મા પરિણમે છે, ત્યાં તે શેય પદાર્થોના આકારનું કારણ તે પદાર્થો જ છે, ને જ્ઞાનપર્યાયરૂપ પોતાના જ્ઞાનાકારોનું કારણ આત્મા પોતે જ છે. સામાના જ્ઞાનમાં આ આત્મા જણાય, તેથી કાંઈ સામા જીવના જ્ઞાનનું કારણ આ આત્મા નથી.
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy