________________
૪૯૩
જે દેવ-ગુરુના ભક્ત ને સહધર્મીમુનિ-અનુરક્ત' છે, ‘સમ્યક્ત્વના વહનાર યોગી ધ્યાનમાં રત હોય છે. ૫૨.
૧. અનુરક્ત = અનુરાગવાળા, વાત્સલ્યવાળા.
૨. સમ્યક્ત્વના વહનાર = સમ્યક્ત્વને ધારી રાખનાર; સમ્યક્ત્વ પરિણતિએ પરિણમ્યા કરનાર.
૩. રત = રતિવાળા; પ્રીતિવાળા; રુચિવાળા.
उग्गतवेणण्णाणी जं कम्मं खवदि भवहि बहुएहिं । तं णाणी तिहि गुत्तो खवेइ अंतोमुहुत्तेण ॥५३॥
તપ ઉગ્રથી અજ્ઞાની જે કર્મો ખપાવે બહુ ભવે, જ્ઞાની `ત્રિગુપ્તિક તે કરમ અંતર્મુહૂર્તો ક્ષય કરે. ૫૩. ૧. ત્રિગુપ્તિક = ત્રણ ગુપ્તિવંત.
सुहजोएण सुभावं परदव्वे कुणइ रागदो साहू । सो तेण दु अण्णाणी णाणी एत्तो दु विवरीओ ॥ ५४ ॥
'શુભ અન્ય દ્રવ્યે રાગથી મુનિ જો કરે રુચિભાવને, તો તેહ છે અજ્ઞાની, ને વિપરીત તેથી જ્ઞાની છે. ૫૪.
૧. શુભ અન્ય દ્રવ્ય = (શુભ ભાવના નિમિત્તભૂત) પ્રશસ્ત પરદ્રવ્યો પ્રત્યે. ૨. રુચિભાવ = ‘આ સારું છે, હિતકર છે’ એમ એકાકારપણે પ્રીતિભાવ. आसवहेदू य तहा भावं मोक्खस्स कारणं हवदि । सो तेण दु अण्णाणी आदसहावा दु विवरीदु ।। ५५ ।। આસરવહેતુ ભાવ તે શિવહેતુ છે તેના મતે, તેથી જ તે છે 'અજ્ઞ, આત્મસ્વભાવથી વિપરીત છે. ૫૫. ૧. અજ્ઞ = અજ્ઞાની.
जो कम्मजादमइओ सहावणाणस्स खंडदूसयरो । सो तेण दु अण्णाणी जिणसासणदूसगो भणिदो ।। ५६ ।। 'કર્મજમતિક જે ખંડદૂષણકર સ્વભાવિકજ્ઞાનમાં, તે જીવને અજ્ઞાની, જિનશાસન તણા દૂષક કહ્યા. ૫૬.