________________
પ્રકરણ ૫
શ્રી સમયસાર (સંક્ષિપ્ત સાર)
શ્રી સમયસાર સ્તુતિ
(હરિગીત) સંસારી જીવના ભાવમરણો ટાળવા કરૂણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુવીર ! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરૂણાભીના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમયપ્રાકૃત તણે ભાજન ભરી.
| (અનુરુપ) કુંદકુંદ રસું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
(શિખરિણી) અહો! વાણી તારી પ્રશમ રસભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવોથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
(શાર્દૂલવિક્રીડિત). તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા) સૂછ્યું તને રસ નિબંધ શિથિલ થાય, જાયે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલ જ્ઞાયકદેવ રીઝે.
(અનુરુપ) બનાવું પત્ર કુંદનના, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુદસુત્રોના અંકાયે મૂલ્ય ના દી.