________________
૨૨૯
અર્થ : સાધુ આગમચક્ષુ (-આગમરૂપ ચક્ષુવાળા) છે, સર્વ ભૂતો (-પ્રાણીઓ) ઇન્દ્રિયચક્ષુ છે, દેવો અવધિચક્ષુ છે અને સિદ્ધો સર્વતઃચક્ષુ (-સર્વ તરફથી ચક્ષુવાળા અર્થાત્ સર્વ આત્મપ્રદેશે ચક્ષુવાળા) છે.
सव्वे आगमसिद्धा अत्था गुणपज्जएहिं चित्तेहिं ।
जाणंति आगमेण हि पेच्छित्ता ते वि ते समणा ॥ २३५ ॥
સૌ ચિત્ર ગુણપર્યાયયુક્ત પદાર્થ આગમસિદ્ધ છે;
તે સર્વને જાણે શ્રમણ એ દેખીને આગમ વડે. ૨૩૫.
અર્થ : બધા પદાર્થો વિચિત્ર (અનેક પ્રકારના) ગુણપર્યાયો સહિત આગમસિદ્ધ છે. તે સર્વને એ શ્રમણો આગમ વડે ખરેખર દેખીને જાણે છે.
आगमपुव्वा दिट्ठी ण भवदि जस्सेह संजमो तस्स ।
णत्थीदि भणदि सुत्तं असंजदो होदि किध समणो ॥ २३६ ॥
દૃષ્ટિ ન આગમપૂર્વિકા તે જીવને સંયમ નહીં
-એ સૂત્ર કેરું છે વચન; મુનિ કેમ હોય અસંયમી ? ૨૩૬.
અર્થ ઃ આ લોકમાં ને આગમપૂર્વક દષ્ટિ (-દર્શન) નથી તેને સંયમ નથી એમ સૂત્ર કહે છે; અને અસંયત તે શ્રમણ કઈ રીતે હોય ?
ण हि आगमेण सिज्झदि सद्दहणं जदि वि णत्थि अत्थेसु । सद्दहमाणो अत्थे असंजदो वा ण णिव्वादि ॥ २३७ ॥
સિદ્ધિ નહિ આગમ થકી, શ્રદ્ધા ન જો અર્થો તણી; નિર્વાણ નહિ અર્થે તણી શ્રદ્ધાથી, જો સંયમ નહીં. ૨૩૭.
અર્થ : આગમથી, જો પદાર્થનું શ્રદ્ધાન ન હોય તો, સિદ્ધિ (મુક્તિ) થતી નથી; પદાર્થોને શ્રદ્ધનારો પણ, અસંયત હોય તો, નિર્વાણ પામતો નથી.
जं अण्णाणी कम्मं खवेदि भवसयसहस्सकोडीहिं।
तं णाणी तिहिं गुत्तो खवेदि उस्सासमेत्तेण ॥ २३८ ॥
અજ્ઞાની જે કર્મો ખપાવે લક્ષ કોટિ ભવો વડે, તેકર્મ જ્ઞાની ત્રિગુપ્ત બસ ઉચ્છ્વાસમાત્રથીક્ષયકરે. ૨૩૮.