SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૧ અહાહા.....! આમાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કે છ દ્રવ્યની શ્રદ્ધા કે પર્યાયની શ્રદ્ધા - એવી તો કોઈ વાત લીધી નથી. પરની શ્રદ્ધા આદિ એ વાત નહિ લેતાં, આ વાત સમજવી. નિજ નિરંજન નિરાકાર, શુદ્ધ ભગવાન આત્મા - તેની શ્રદ્ધાને શ્રદ્ધાન કહીએ. નિજ નિરંજન શુદ્ધ આત્માનું જ્ઞાન, તેનું નામ જ્ઞાન. શાસ્ત્ર ભણવું એ જ્ઞાન ને કાંઈ જ્ઞાન નથી. ‘નિજ નિરંજન” એ પણ પોતાનું, ભગવાનનું જ્ઞાન એ ય નહિ, તીર્થકર અને એનું જ્ઞાન એ પણ નહિ, એ તો પરદ્રવ્ય છે. એ સમ્યજ્ઞાન વિનાનું અગીયાર અંગનું જ્ઞાન આદિ કે નવપૂર્વની લબ્ધિ આદિ હોય તો પણ વ્યર્થ છે. બાર અંગના જ્ઞાનમાં પણ અનુભૂતિનું કથન કર્યું છે. બાર અંગમાં પણ ‘સાર’ આત્માનો અનુભવ છે. ધ્યાનાર ધ્યાતા શું ધ્યાવે, કોનું (ધ્યાન) કરે ? સર્વથા નિરાવરણ અખંડ જ્ઞાન, તેનું ધ્યાન કરે. વર્તમાન ધ્યાન કરનાર પર્યાયનું ધ્યાન ન કરે. કેમ કે વર્તમાન પર્યાય છે તે ખંડખંડ છે અને આ જ્ઞાન તે અખંડ છે. પ્રત્યેક સમયે દષ્ટિ તો ધ્રુવ ઉપર અને અનુભવ બેઉનો હોવા છતાં મારું દષ્ટિનું ધ્યેય તો એકલું સામાન્ય ઉપર જ છે. પર્યાય અને દ્રવ્ય બન્નેનું જ્ઞાન હોવા છતાં દષ્ટિનું જોર ધ્રુવ ઉપર છે. જો ધ્રુવથી દષ્ટિ ખસે, તો એ વસ્તુ (ધ્રુવ) દષ્ટિમાં રહી શકે નહિ. ધર્મીની દષ્ટિના ધ્યેયની ધ્રુવતામાં એક પળ કે એક સમય પણ કદી આંતરો પડતો નથી. આહાહા....! શરીર-વાણી-મન-પૈસા-લક્ષ્મી ક્યાંય રહી ગયા. પણ એક સમયની પર્યાય - ભાવના કરનારો ભાવ અર્થાત્ “ભાવના છે પર્યાય, પણ એ પર્યાય તે હું નહિ, હું તો ‘આ’ (ધ્રુવ) છું ! આહાહા....! તો એક અખંડ જ્ઞાયકભાવ છું પર્યાય (મારી) ભાવના કરે છે. પણ એ પર્યાપ એમ કહે છે કે : હું તો ‘આ’ (અખંડ-જ્ઞાયકભાવ)છું. ખંડ ખંડ જ્ઞાન નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની છે તો પર્યાય; પણ એ પર્યાય એમ માને છે કે : હું તો ‘આ’ અખંડ છું. પર્યાય એમ જાણે છે કે : હું તો ‘આ’ છું. આહાહા....! “આત્મા’ જે નિર્વિકલ્પ અને એકસ્વભાવી છે, એના ઉપરથી ધર્મીની અંતર્મુખ દષ્ટિ એક સમયમાત્ર પણ ખસતી નથી. ‘ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવતી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.” ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવતી - એ છે તો પર્યાય; પણ એ પર્યાય એમ કહે છે કે હું ‘આ’ ધ્રુવ છું ! અહાહા ! કે'દી આવા વચનો સાંભળે? અરેરે ! બાકી તો બધી જિંદગી નિરર્થક છે. આ તેર બોલ બહુ અગત્યના છે. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, દ્રવ્યનું જ્ઞાન આવે છે. પર્યાયમાં છ દ્રવ્ય આવતાં નથી પણ છ દ્રવ્યનું જ્ઞાન આવે છે. નિર્ણય તો પર્યાય કરે છે ને! પર્યાયમાં પર્યાય આવી ગઈ. પર્યાય પોતાને જાગે છે અને પરને પણ જાણે છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy