SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૧ જેમ જ્ઞાની જીવરાગાદિપરિણામને કે પરદ્રવ્યના પરિણામને કરતો નથી, તેમ પુલ પણ ઉપદ્રવ્યના પરિણામને કરતું નથી; પરદ્રવ્યના પરિણામ એટલે જીવના નિર્મળ પરિણામ, તે પુદ્ગલની અપેક્ષાએ પરદ્રવ્ય છે, તેને પુદ્ગલ કરતું નથી. જીવ પોતાનો સ્વભાવ પરિણામરૂપ પરિણમે છે, અને તે પરિણામમાં તે પોતે જ વ્યાપે છે. હર્ષ, શોક, રાગ, દ્વેષરૂપ વિભાવ તે જીવના સ્વભાવનું કાર્ય નથી, તેથી પરમાર્થમાં તેને પુદ્ગલના સ્વભાવરૂપ કાર્ય કહ્યું છે. જ્ઞાની પોતાની અને પરની પરિણતિને ભિન્ન ભિન્ન જાણતા થકા જ્ઞાનભાવે જ પ્રવર્તે છે. અને પુદ્ગલ દ્રવ્ય પોતાની કે પરની પરિણતિને જરા પણ જાણતું નથી, રાગાદિ ભાવો પણ સ્વને કે પરને જાણતા નથી તેથી તે પણ જ્ઞાનથી ભિન્ન જ છે. આ રીતે સ્પષ્ટ ભિન્નપણું હોવાથી જ્ઞાનને અને પરને જરા પણ કર્તા-કર્મપણું નથી, જ્યાં આવી ભેદજ્ઞાન જ્યોતિ જાગી ત્યાં અજ્ઞાનજનિત કર્તા-કર્મપણાને તે ચારે તરફથી અત્યંત નષ્ટ કરી નાંખે છે. જ્યાં સુધી ભેદજ્ઞાન જ્યોતિ પ્રગટી નથી ત્યાં સુધી જ ભ્રમને લીધે જીવપુદ્ગલને કર્તા-કર્મપણું ભાસે છે, ને જ્ઞાન તથા રાગ વચ્ચે પણ કર્તા-કર્મપણું અજ્ઞાની ભ્રમથી જ ભાસે છે. જ્ઞાનભાવમાં તે કર્તા-કર્મ પ્રવૃત્તિનો અત્યંત અભાવ છે, જ્ઞાનસ્વભાવી ભગવાન પોતાના જ્ઞાનમય કાર્યથી શોભે છે. આનું નામ ધર્મ છે અને આ જ મોક્ષનો માર્ગ છે. ૧૫ ધર્માત્માનું સ્વરૂપ - સંચેતન: જે અનાદિથી અત્યંત અપ્રતિબદ્ધ હતો, ને વિરક્ત જ્ઞાની ગુરુ વડે નિરંતર પરમ અનુગ્રહપૂર્વક શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવતો પરમ ઉદ્યમ વડે સમજીને જે જ્ઞાની થયો તે શિષ્ય પોતાના આત્માનો કેવો અનુભવ કરે છે તેનું વર્ણન સમયસાર ગાથા ૩૮ છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અને તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે.” ગાથાર્થ દર્શન-શાન-ચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શન-જ્ઞાનમય છું, સદા અરૂપી છું; કાંઈ પણ અન્ય પદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી એ નિશ્ચય છે. ભાવાર્થ આત્મા અનાદિ કાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો, તે શ્રીગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, જ્ઞાન-દર્શનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો, ભાવક ભાવ ને શેય ભાવથી ભેદજ્ઞાન થયું; પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી; હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય ? ન થાય. વિશેષાર્થઃ સર્વ પ્રકારના ઉદ્યમથી અંતમંથન કરીને નિર્ણય કર્યો, મારો ઉદ્યમ થતાં કાળલબ્ધિ પણ ભેગી જ આવી ગઈ, કર્મો પણ ખસી ગયા, સર્વ પ્રકારના ઉદ્યમથી સાવધાન થઈને હું મારું સ્વરૂપ સમજ્યો. એ પ્રમાણે જ્ઞાનસ્વરૂપ પરમેશ્વર આત્માને જાણીને, તેની શ્રદ્ધા કરીને તથા તેનું આચરણ કરીને હું સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. આત્માના અનુભવથી તૃપ્ત આત્મારામ થયો. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમેલો હું મારા આત્માને આવો અનુભવું છું. એક આત્મા જ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy