SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૭. (હોવા માત્રમયી, થવા માત્રમયી) ભાવ શક્તિ. ૪૦) ક્રિયા શક્તિ કારકો અનુસાર થવાપણારૂપ(પરિણમવાપણારૂપ) જે ભાવતે-મયી ક્રિયા શક્તિ. ૪૧) કર્મ શક્તિ પ્રાપ્ત કરતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મથી કર્મ શક્તિ. ૪૨) કર્સ્ટ શક્તિ થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામયી કર્ણ શક્તિ. ૪૩) કરણ શક્તિ ભવતા (વર્તતા-થતા) ભાવના ભવનના (થવાના) સાધકતમપણામયી (ઉત્કૃષ્ટ સાધકપણામયી, ઉગ્ર સાધનપણામયી) કરણ શક્તિ. જ) સંપ્રદાન શક્તિ પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપેયપણામયી (તેને મેળવવાના યોગ્યપણામય, તેને લેવાના પાત્રપણામય) સંપ્રદાન શક્તિ. ૪૫) અપાદાન શક્તિઃ ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવનો અપાય (-હાનિ, નાશ) થવાથી હાનિ નહિ પામતા એવા ધ્રુવપણામયી અપાદાન શક્તિ. ૪૬) અધિકરણ શકિત: ભાવ્યમાન (અર્થાત્ ભાવવામાં આવતા) ભાવના આધારપણામયી અધિકરણ શક્તિ. ૪૭) સંબંધ શક્તિઃ સ્વભવમાત્ર સ્વ સ્વામીત્વમથી સંબંધ શક્તિ. આવી શક્તિઓનો અભ્યાસ કરતાં આત્માનો મહિમાને પરિચય થતાં વર્તમાન પર્યાય એ તરફ ઝૂકતાં સમ્યગ્દર્શન થાય છે. ૧૫ તત્ત્વ નિર્ણય અને ભેદશાનઃ ૧. કર્મકમળ વિનાની ચીજ નિર્મળાનંદ પ્રભુ, ત્રિકાળ ધ્રુવ, શુદ્ધ જીવ બધામાં સારભૂત છે. આ સારભૂત ચીજને શુદ્ધનય બતાવે છે. આખા સમયસારનો સાર ત્રિકાળ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ એને જ્ઞાનીજનો પર્યાયમાં ગ્રહે છે. તેને ગ્રહવો એ જ આખા સમયનો સાર છે. ૨. સિદ્ધને જ્ઞાન છે, સુખ છે; પણ સિદ્ધ સમાન સ્વરૂપ પોતાનું છે તેને જાણતાં પોતાને જ્ઞાન અને સુખ થાય. ઝીણી વાત છે, ભાઈ ! સિદ્ધ પણ આત્માની અપેક્ષાએ પરવસ્તુ છે. અહા ! પરવસ્તુને જાણતા જ્ઞાન અને સુખ કેમ હોઈ શકે? અંતર આત્મા શુદ્ધ વસ્તુ છે, તેને જાણતાં સાચું જ્ઞાન અને સાચું સુખ થાય. આમ વાત છે. જે ત્રિકાળ શુદ્ધ જીવ છે તેને જાણતાં પર્યાયમાં સાચું જ્ઞાન અને સાચું સુખ થાય -આનંદનો અનુભવ થાય. ૩. સ્વના આશ્રયે થાય તે સમ્યજ્ઞાન છે. પર્યાય પરની હો કે સ્વની હો, પર્યાયનું લક્ષ થતાં પણ વિકલ્પ ઉઠે છે. અનંત ગુણોની પર્યાય અંદરમાં જ્યારે દ્રવ્ય તરફ ઢળે છે ત્યારે તેને જ્ઞાન અને સુખ થાય છે. ભાઈ ! સર્વજ્ઞ જિનેન્દ્રદેવનો માર્ગ એટલે શુદ્ધ જીવન માર્ગ કોઈ અલૌકિક છે. ૪. જે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યઘન ધ્રુવસ્વભાવ ભગવાન કેવળીએ જોયો અને જાણ્યો તેને લક્ષમાં લેતાં -
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy