SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ જીવમાં જ્ઞાયક સ્વભાવનો ને અનંતગુણોની કમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાની તાકાત તો ક્યાંથી હોય ? ને યથાર્થ નિર્ણય વગર કમબદ્ધ પર્યાયમાં શુદ્ધતા થાય એમ બનતું નથી. આત્મા જ્ઞાનસ્વભાવ છે તેનો નિર્ણય કરવો. આત્મા જ્ઞાનસ્વભાવ છે અને પદાર્થોની પર્યાયનો ક્રમબદ્ધ સ્વભાવ છે એનો જે નિર્ણય કરતો નથી, ને ‘આવું નિમિત્ત જોઈએ ને આવો વ્યવહાર જોઈએ” એમ વ્યવહારની રુચિમાં રોકાઈ જાય છે તેને જરા પણ હિત થતું નથી. અહો ! હું જ્ઞાયક છું - એ મૂળ વાત જેની પ્રતીતમાં આવી તેને ક્રમબદ્ધ પર્યાય બેઠા વગર રહે નહિ, અને જ્યાં આ વાત બેઠી ત્યાં બધા ખુલાસા થઈ જાય છે. જ્ઞાયક સ્વભાવની દષ્ટિનો પુરુષાર્થ થતાં ક્રમબદ્ધ પર્યાયમાં શુદ્ધતાનો ક્રમ ચાલું થઈ જાય છે. સ્વભાવથી બધા જ આત્મા અકર્તા જ છે, પરંતુ પર્યાયમાં અકર્તાપણું થઈ જાય તેના આ વાત છે. જ્ઞાયક સ્વભાવની દષ્ટિ પ્રગટ કર્યા વિના, ક્રમબદ્ધ પર્યાયની ઓથ લઈને બચાવ કરવા માંગે તે મોટો સ્વછંદી છે. આ ક્રમબદ્ધ પર્યાયની ઓથ લઈને સ્વચ્છેદે એમ કોઈ બચાવ કરે “અમને ક્રોધ પણ થવાનો હતો તે ક્રમબદ્ધ થઈ ગયો, તેમાં અમે શું કરીએ?” તો તેને કહે છે કે અરે મૂઢ જીવ! આત્માનું જ્ઞાયકપણું હજી તને બેઠું નથી તો તું ક્રમબદ્ધ પર્યાયની વાત ક્યાંથી લાવ્યો? જ્ઞાયક સ્વભાવની નિર્ણયથી જ ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે. તારી દષ્ટિ જ્ઞાયક ઉપર છે કે ક્રોધ ઉપર? જો જ્ઞાયક ઉપર દષ્ટિ હોય તો જ્ઞાયકમાં વળી ક્રોધ થવાનું ક્યાંથી આવ્યું ? તારા જ્ઞાયકભાવનો નિર્ણય કરીને તે પહેલાં જ્ઞાતા થા, પછી તને ક્રમબદ્ધ પર્યાયની ખબર પડશે. જ્ઞાયક સ્વભાવ તરફ વળીને તેને જ્ઞાનનું શેય બનાવવું - તેની આમાં મુખ્યતા છે, રાગને જોય કરવાની મુખ્યતા નથી. જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં જ્ઞાનની જ અધિકતા રહે છે, ક્રોધાદિની અધિકતા થતી જ નથી, એટલે જ્ઞાતાને અનંતાનુબંધી ક્રોધાદિ તો થતાં જ નથી અને તેને જ ક્રમબદ્ધ પર્યાય યથાર્થપણે બેઠી છે. ક્રમબદ્ધ પર્યાયમાં જ્ઞાયકભાવનું પરિણમન ન ભાસતા, ક્રોધનું પરિણમન ભાસે છે એ જ તેની ઊંધાઈ છે. ચારિત્ર દશા તો ક્રમબદ્ધ પર્યાયમાં જ્યારે આવવાની હશે ત્યારે આવી જશે' એમ કહીને સમકીતિ કદી સ્વચ્છંદી કે પ્રમાદી ન થાય; દ્રવ્યદૃષ્ટિના જોરમાં તેને પુરુષાર્થ ચાલુ જ છે. ખરેખર દ્રવ્ય દષ્ટિવાળાને જ ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજાય છે. ક્રમ ફરે નહિ છતાં પુરુષાર્થની ધારા તૂટે નહિ, એ વાત જ્ઞાયક સ્વભાવની દષ્ટિ વિના બની શકતી નથી. ૩૫) જ્ઞાનને અંતરમાં વાળીને જ્ઞાનસ્વભાવનો જેણે નિર્ણય કર્યો તે (૧) ક્રમબદ્ધ પર્યાયનો જ્ઞાતા થયો. (૨) તેના જ્ઞાનમાં સર્વજ્ઞની સિદ્ધિ આવી. (૩) તેને ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન થયું. (૪) તેને મોક્ષમાર્ગનો પુરુષાર્થ શરૂ થયો.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy