SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ ૧૮) ક્રમબદ્ધ પર્યાયની વાત બરાબર સમજે તો તેમાં નિશ્ચય-વ્યવહારના અને ઉપાદન-નિમિત્ત વગેરે બધાયના ખુલાસા આવી જાય છે; વસ્તુની પર્યાય ક્રમબદ્ધ છે ને હું તેનો જ્ઞાયક એ સમજતાં બધા સમાધાન થઈ જાય છે. આ જ્ઞાયકભાવમાં જ તારી પ્રભુતા છે. તારો પ્રભુ તારા જ્ઞાયક મંદિરમાં બિરાજમાન છે તેની સન્મુખ થા, ને તેની પ્રતીત કર. ૧૯) બધા જ દ્રવ્યો કમબદ્ધપણે સ્વતંત્ર પરિણમી જ રહ્યા છે, હું તેમને શું ફેરવું? તો જ્ઞાયક છું - આવો નિર્ણય કરે તેને સમ્યગ્દર્શન થઈ જાય. આત્માનો જ્ઞાન સ્વભાવ અનાદિ અનંત જાણવાનું જ કાર્ય કરે છે. ૨૦) જ્ઞાયક સન્મુખ દષ્ટિના અપૂર્વ પુરુષાર્થ વગર ખરેખર ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતો નથી ને તેને નિર્મળ ક્રમબદ્ધ પર્યાય થતી નથી. જ્ઞાયક સામે નજર રાખીને જ આ ક્રમબદ્ધનો નિર્ણય થાય છે. ૨૧) જેની પ્રતીતમાં કેવળજ્ઞાન બેઠું અને વસ્તુસ્વરૂપ સમજાયું તેના અંતરમાં ગૃહીત મિથ્યાત્વ રહે જ નહિ, કુધર્મને કે કુગુરુને માને એવો કમ તેને હોય જ નહિ. સવળા પુરુષાર્થમાં નિર્મળ ક્રમબદ્ધ પર્યાય થાય છે. ૨૨) જે દ્રવ્ય જે ગુણોથી ઉપજે એટલે જે પર્યાયપણે પરિણમે તેની સાથે તે તન્મય છે. અહો ! દ્રવ્ય પોતે તે પર્યાય સાથે તન્મય થઈને પરિણમ્યું છે, ત્યાં બીજો શું કરે? આત્મા તો પારિણામિક સ્વભાવરૂપ જ્ઞાયક છે. જ્ઞાયકભાવપણે રહેવું તેનો સ્વભાવ છે. આવા સ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં સ્વભાવ તરફના પુરુષાર્થથી શુદ્ધ પર્યાય થતી જાય છે. ૨૩) આ ક્રમબદ્ધ પર્યાય તે કાંઈ કોઈના ઘરની કલ્પના નથી, પરંતુ તે તો વસ્તુના ઘરની વાત છે, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. કોઈ ન માને તેથી કાંઈ વસ્તુનું સ્વરૂપ ફરી જાય તેમ નથી. ૨૪) જ્ઞાનીને ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં સ્વભાવની દૃષ્ટિથી પ્રયત્ન ચાલુ જ છે, તે જ્ઞાનની અધિકતારૂપે જ પરિણમે છે, એટલે કે ભૂતાર્થના આશ્રયે જ પરિણમે છે. તેમાં ઉતાવળ પણ નથી ને પ્રમાદ પણ નથી. ભૂતાર્થ સ્વભાવનો આશ્રય કરીને વર્તે છે, તેમાં તેનો પુરુષાર્થ ચાલુ જ છે. એક સાથે પાંચ સમવાય તેમાં આવી જાય છે. ૨૫) એક જ સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ હોવા છતાં તે ત્રણેનું ભિન્ન ભિન્ન લક્ષણ છે, નાશ એટલે વ્યય, તે નષ્ટ થતાં ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઉપજતા ભાવને આશ્રિત છે અને ધ્રૌવ્ય ટકતા ભાવને આશ્રિત છે. એ રીતે સમયે સમયે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કહીને તેમાં પણ ક્રમબદ્ધ પર્યાયની જ સાંકળ ગોઠવી છે. ૨૬) એક તરફ આખું સનું ચોસલું જગતમાં પડ્યું છે ને આ તરફ તેને જાણનારો જ્ઞાયકભાવ (જ્ઞાન સ્વભાવ) છે. મહાસત્તા સત, અવાંતર સત્તા સત, જડ-ચેતન દરેક દ્રવ્ય ત્રિકાળ સતુ, તેની એક એક સમયની પર્યાય પણ ક્રમબદ્ધ પ્રવાહમાં તેના સ્વકાળે સત્, એ બધાને જાણનારી જ્ઞાનપર્યાય
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy