SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ ૭. હું અબંધ છું, બંધ મારું સ્વરૂપ નથી' એવા ભંગની વિચારશ્રેણીના કાર્યમાં અટકવું તો અજ્ઞાન છે, અને તે ભંગના વિચારને ઓળંગીને અભંગ સ્વરૂપને સ્પર્શી લેવું અનુભવી લેવું) તે જ પહેલો આત્મધર્મ એટલે સમ્યગ્દર્શન છે. ૮. હું પરાશ્રય રહિત, અબંધ છું, શુદ્ધ છું.’ એવા નિશ્ચય નયના પડખાનો વિકલ્પ તે રાગ છે. અને તે રાગમાં રોકાય (રાગને જ સમ્યગ્દર્શન માની ત્યે પણ રાગ રહિત સ્વરૂપને ન અનુભવે) તો તે મિથ્યાદષ્ટિ છે. ૯. ભેદના વિકલ્પ આવે ખરા છતાં તેનાથી સમ્યગ્દર્શન નથી. અનાદિથી આત્મસ્વરૂપનો અનુભવ નથી; તથા આત્માનો અનુભવ કરવા જતાં પહેલાં તે સંબંધી વિકલ્પ આવ્યા વિના રહેતાં નથી. અનાદિથી આત્માના સ્વરૂપનો અનુભવ નથી તેથી વૃત્તિઓનું ઉત્થાન થાય છે કે - હું આત્માના કર્મના સંબંધવાળો છું કે કર્મના સંબંધ વગરનો છું.” આમ બે નયોના બે વિકલ્પો ઉઠે છે; પરંતુ - ‘કર્મના સંબંધવાળો કે કર્મના સંબંધ વગરનો એટલે કે બદ્ધ છું કે અબદ્ધ છું' એવા બે પ્રકારના ભેદનો પણ એક સ્વરૂપમાં ક્યાં અવકાશ છે? ૧૦. સ્વરૂપ તો નય પક્ષની અપેક્ષાઓથી પાર છે. એક પ્રકારના સ્વરૂપમાં બે પ્રકારની અપેક્ષાઓ નથી. હું શુભાશુભ ભાવથી રહિત છું એવા વિચારમાં અટકવું તે પણ પક્ષ છે. તેનાથી પાગ પેલે પાર સ્વરૂપ છે. સ્વરૂપ તે પક્ષાતિક્રાંત છે, એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. એટલે કે તેના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે સિવાય બીજો સમ્યગ્દર્શનનો ઉપાય નથી. ૧૧. સમ્યગ્દર્શનનું સ્વરૂપ શું? દેહની કોઈ ક્રિયાથી તો સમ્યગ્દર્શન નથી, જડ કર્મોથી નથી, અશુભ રાગ કે શુભ રાગ થાય તેના લક્ષે પણ સમ્યગ્દર્શન નથી અને હું પુણ્ય-પાપોના પરિણામોથી રહિત જ્ઞાયક સ્વરૂપ છું એવો જે વિચાર તે પણ સ્વરૂપનો અનુભવ કરાવવા સમર્થ નથી. ૧૨. હું જ્ઞાયક છું એવા વિચારમાં અટક્યો તે ભેદના વિચારમાં અટક્યો છે, પરંતુ સ્વરૂપ તો જ્ઞાતા-દષ્ટા છે તેનો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે. ભેદના વિચારમાં અટકવું તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ નથી. ૧૩. જે વસ્તુ છે તે પોતાથી પરિપૂર્ણ સ્વભાવે ભરેલ છે. આત્માનો સ્વભાવ પરની અપેક્ષા વિનાનો એકરૂપ છે. કર્મના સંબંધવાળો છું કે કર્મના સંબંધ વગરનો છું એવી અપેક્ષાઓથી તે સ્વભાવનું લક્ષ થતું નથી; જો કે આત્મસ્વભાવ તો અબંધ જ છે પરંતુ હું અબંધ છુંએવા વિકલ્પને પણ છોડીને નિર્વિકલ્પ જ્ઞાતા-દષ્ટ નિરપેક્ષ સ્વભાવનું લક્ષ કરતાં જ સમ્યગ્દર્શન પ્રગટે છે. ૧૪. આત્માની પ્રભુતાનો મહિમા અંદર પરિપૂર્ણ છે, અનાદિથી તેની સમક પ્રતીતિ વગર તેનો અનુભવ નથી, અનાદિથી પરલક્ષ કર્યું છે પણ સ્વભાવનું લક્ષ કર્યું નથી. શરીરાદિમાં તો આત્માનું સુખ નથી, શુભ રાગમાં પણ આત્માનું સુખ નથી, અને ‘શુભરાગરહિત મારું સ્વરૂપ છે” એવા ભેદના વિચારમાં પણ આત્માનું સુખ નથી. માટે તે ભેદના વિચારમાં અટકવું તે પણ અજ્ઞાનીનું કાર્ય છે. માટે તે નય પક્ષના ભેદનું લક્ષ મૂકી દઈને અભેદ જ્ઞાતા સ્વભાવનું લક્ષ કરવું તે જ સમ્યગ્દર્શન છે અને તેમાં જ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy