SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ ૯. હવે શરીરાદિ, કર્માદિ અને રાગાદિથી ભિન્ન શુદ્ધાત્માનો અનુભવ કરવા ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. ૧૦. ભેદજ્ઞાનની વિધિમાં આ પ્રમાણે ક્રમ પડે છે. ૧) પહેલાં સુદષ્ટિ વડે પરપદાર્થોને આત્માથી જુદા કરવા. ૨) પછી સમજણ વડે શરીરને આત્માથી જુદુ કરવું. ૩) પછી તેજસ - કામણ શરીરને આત્માથી જુદા જાણવા. ૪) હવે અંદરમાં આઠ કર્મજનિત રાગાદિ ઉપાધિભાવોને પણ દ્રવ્યસ્વભાવથી જુદા ગણવા. ૫) છેવટે ભેદજ્ઞાનના વિકલ્પના વિલાસને પણ જુદો ગણવો. ૬) આ બધાની અંદર સૂક્ષ્મ ચૈતન્ય પ્રભુ અખંડરૂપ બિરાજે છે. સ્વસમ્મુખ થઇ અંતરમાં દષ્ટિ કરવી. ૭) તેને મતિ-શ્રુતજ્ઞાનના પ્રમાણ વડે અંતરમાં ધારણ કરીને, તેનો જ વિચાર કરીને, તેમાં જ મગ્ન થવું. મગ્ન થતાં થતાં તેમાં જ લીન થવું. ૮) એ લીનતામાં હવે એક જ વાત બાકી રહે, હું જ્ઞાયક..હું જ્ઞાયક...હું જ્ઞાયક એવી લગની લાગે. ૯) ભગવાન આત્મા અનંત અનંત ગુણસંપન્ન જ્ઞાનાનંદસ્વરૂપ છે, એનો મહિમા લાવીને સ્વસમ્મુખ રહેવું. ૧૦) જો ઉપયોગ એક સમય માટે પણ સ્વભાવમાં સ્થિર થઇ જાય તો આત્માના અનુભવનો રસ આવે, આવે ને આવે જ! અનુભવ કેમ પ્રગટે?: ૧) શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં તન્મય થતાં અતીન્દ્રિય સુખનો સ્વાદ આવે છે. ૨) શુદ્ધતાના કે અશુદ્ધતાના વિકલ્પો કર્યા કરે કે હું આવો છું - હું આવો છું ત્યાં સુધી વિકલ્પના કર્તૃત્વમાં રોકાયેલા જીવને ચૈતન્યના સુખનો તો અનુભવ થતો નથી. ૩) શાંત નિર્વિકલ્પ થઇને અનુભવ થાય છે. અનુભવની સ્થિતિ એ નિર્વિકલ્પતા છે. ૪) અંતર્મુખ નિર્વિકલ્પ પરિણામ નથી થતાં ત્યાં સુધી વિકલ્પમાં સાચો આત્મા વિષયરૂપ થતો નથી. ૫) ઉપયોગ અંતરમાં વળે ત્યારે જ આત્મા યથાર્થ સ્વરૂપે વિષયરૂપ થાય છે. ૬) વિકલ્પતામાં આકુળતા છે, દુઃખ છે - તેમાં નિર્વિકલ્પ સુખ અનુભવાતું નથી. ૭) વસ્તુ માત્રને જ્ઞાનમાં અનુભવતા વિકલ્પ મટે છે અને પરમ સુખ થાય છે. ૮) અનુભવમાં ચૈતન્ય વસ્તુનો સીધો સ્વાદ આવે છે. ત્યાં કોઈ કલ્પના રહેતી નથી. વિકલ્પ રહેતાં નથી. ઝીણું કહો કે સરળ કહો - વસ્તુસ્વરૂપ આવું જ છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy