________________
૧૮૯ હિતના સર્વ નિમિત્તો મળ્યા છે. માટે હવે હું તત્ત્વ સમજીને મારા આત્માનો ઉદ્ધાર કરું” - આમ
વિચારીને તત્વનિર્ણયનો ઉદ્યમ કરે છે. ૭. તત્વજ્ઞાનનો અભ્યાસ કરે ત્યાં ઉદ્દેશ, નિર્દેશ એટલે કે તત્ત્વોના નામ જાણે તથા લક્ષ્યને લક્ષણ વડે
ઓળખવાનું છે અને જેનું જે લક્ષણ હોય તે જાણે તથા પરીક્ષા પ્રધાની થઈને પોતાની વિચારણાથી પોતે જાતે નિર્ણય કરે. આ અભ્યાસ છે. જે ઉપદેશ સાંભળ્યો છે તેને ગ્રહણ કરે, તેનો નિર્ધાર કરે અને પછી અંતરમાં તેનો પોતે નિર્ણય કરે છે. નિરંતર આ અભ્યાસ ચાલુ જ રાખે. સત્સંગ અને
સ્વાધ્યાય એ એના જીવનનો અભ્યાસક્રમ બની જાય. ૮. તત્વની યથાર્થ પ્રતીતિ ઉપદેશ સાંભળીને, તત્ત્વોનો અભ્યાસ કરીને પોતે જાતે ઉદ્યમ કરીને તત્ત્વનો
નિર્ણય કરે છે. “આ કઈ રીતે છે?' એમ પોતે તેના ભાવને ઓળખીને જાતે નિર્ણય ન કરે તો સાચી પ્રતીતિ થતી નથી. એકાંતમાં વિવેકપૂર્વક વિચાર કરી તેનો નિર્ણય કરે ને અંતરમાં તેને પરિણાવવાનો પ્રયત્ન કરે. અહીં ચાર વાત આવે છે. ૧) યથાર્થ ઉપદેશ સાંભળવો. ૨) તેને યાદ રાખવો. ૩) તેના ઉપર વિચાર કરવો. ૪) તેનો નિર્ણય કરવો. તત્ત્વોનો નિર્ણય કરવાની શક્તિ પોતામાં હોવી જોઈએ. જાતે કાંઈ પણ વિચાર કરીને તત્વનિર્ણયમાં પોતાની શક્તિ ન લગાવે તો તેને યથાર્થ પ્રતીતિનો લાભ થાય નહિ. તત્તા શ્રદ્ધાનમ્ સીદ્ધનમ્ તત્ત્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે. તે કઈ રીતે ઘટે છે? એમ પોતે નિર્ણય કરે. સાતે તત્ત્વોની પરીક્ષા કરીને ઓળખે. જ્ઞાનીએ કહ્યું તે જ્ઞાની પાસે રહ્યું. પોતે નિર્ણય કરી યથાર્થ શ્રદ્ધાન ન કરે તો પોતાને તત્ત્વોનો યથાર્થ લાભ થાય નહિ. માટે નામ અને લક્ષણ ઓળખીને નિર્ણય કરવો જોઈએ. નવ તત્વોને, મોક્ષમાર્ગને વગેરેને ઓળખીને પોતે એકલો વિચાર કરે એકાંતમાં વિચાર કરવાનું કહ્યું તેમાં વિચારની એકાગ્રતા બતાવે છે. અંદર વિચાર ચાલતાં ચાલતાં એ વિકલ્પ તોડીને નિર્વિકલ્પ સ્થિતિ સહેજે આવી જતાં જીવ સમ્યગ્દર્શન પામી જાય છે. યુક્તિ, નય, પ્રમાણ, અનુમાન, પ્રત્યક્ષ આદિથી ઉપદેશમાં આવેલ તત્ત્વો એમ જ છે, અન્યથા નથી, તેનો
નિર્ણય કરે. ૧૦. દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવયના આધારે રહેતું નથી. એકમાં
બીજાથી કિંચિત લાભ-નુકસાન નથી એમ દ્રવ્યની સ્વતંત્રતાનો ઉપદેશ આવે ત્યાં પાણ પોતે બરાબર વિચારીને નિર્ણય કરે. વળી એક તત્ત્વ વિષે પરસ્પર વિરોધી બે દલીલ આવે ત્યાં કઈ યુક્તિ પ્રબળ છે અને કઈ યુક્તિ નિર્બળ છે તેનો વિચાર કરે. ત્યાં પ્રબળ યુક્તિ ભાસે તેને સત્ય માને અને નિર્બળ યુક્તિ ભાસે તેને છોડી દે. ઓમ વિચારીને તત્ત્વોનો યથાર્થ નિર્ણય થાય છે. છેવટે તો આખરે આતત્ત્વનિર્ણય પર જ પહોંચવાનું છે - “હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.'