SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ ૧૪. આવા આત્મસન્મુખ જીવની રહેણી-કરણી જુદી જાતની હોય છે. તેને માત્ર આત્માની ધૂન લાગે છે. ‘ધ્રુવ ધામના ધ્યેયની ધખતી ધૂણી ધીરજથી અને ધગશથી ધખાવનાર એ ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.’’ ૧૫. હાલ વર્તમાનકાળમાં આવા આત્મસન્મુખ જીવો જે સત્ય પુરુષાર્થ કરી રહ્યા છે તે જરૂર આત્મ અનુભવ કરશે જ. આવા આત્મસન્મુખ જીવો બીજા જિજ્ઞાસુ જીવોને અત્યારે પણ આત્માનો અપાર મહિમા સમજાવીને સાચો મુક્તિનો માર્ગ બતાવે છે અને જે જીવો એ પ્રમાણે પુરુષાર્થ કરશે તેઓ પણ નજીકના ભાવિમાં આત્મઅનુભવ કરશે જ. આવા પરમ ઉત્કૃષ્ટ વીતરાગ માર્ગને પરમ બહુમાનથી સ્વીકારજો, આદરજો અને તેનું શરણું લેશો. આ જ એક પરમ હિતકર છે. ‘સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ'. પંચપરમેષ્ઠીનું જ આલંબન ત્રણ લોકમાં ત્રણ કાળમાં શ્રેષ્ઠ છે. જિનવાણી જ સાચી માતા છે. સમ્યક્ત્વ પામવાનો આ સોનેરી અવસર રખે ચૂકી જતાં ! ૬. સમ્યક્ત્વ સન્મુખ મિથ્યાદષ્ટિનું નિરૂપણ ઃ (સાર) સંસારનું મૂળ મિથ્યાત્વ છે. પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે. માટે સર્વ પ્રકારના મિથ્યાત્વ ભાવ છોડી સમ્યગ્દષ્ટિ થવું યોગ્ય છે. એક મિથ્યાત્વ અને તેની સાથે અનંતાનુબંધીનો અભાવ થતાં એકતાલીસ કર્મ પ્રકૃત્તિઓનો બંધ તો મટી જ જાય છે, તથા સ્થિતિ અંતઃક્રોડાકોડી સાગરની રહી જાય છે અને અનુભાગ પણ થોડો જ રહી જાય છે. માટે હર કોઈ ઉપાય વડે પણ સર્વ પ્રકારથી એ મિથ્યાત્વનો નાશ કરવો યોગ્ય છે. Y કર્મ વગેરે પરને લીધે જીવના પરિણામો બગડતા-સુધરતા નથી પણ પોતાના ઉદ્યમથી જ પરિણામ બગડે-સુધરે છે; તેથી એવો ઉપદેશ છે કે પોતાના પરિણામ સુધારવાનો ઉદ્યમ કરવો યોગ્ય છે. માટે સર્વ પ્રકારના મિથ્યાત્વ ભાવ છોડી સ્વભાવ સન્મુખ થઈને સમ્યગ્દષ્ટિ થવું યોગ્ય છે. સમ્યગ્દર્શન જ પરમ હિતનો ઉપાય છે. સમ્યગ્દર્શન થતાં અલ્પકાળમાં જીવ અવશ્ય મોક્ષ પદ પામે છે. સમ્યગ્દર્શનની સન્મુખ થયેલા જીવની પાત્રતા કેવી હોય ? ૧. કષાયની ઉપશાંતતા ઃ પ્રથમ તો કષાય મંદ થયા છે. બધા જ ક્રોધ, માન, માયા અને લોભના પરિણામ શાંત થયા છે. આત્માનું હિત કરવાની જિજ્ઞાસા થઈ છે ત્યાં મંદ કષાય થઈ ગયો. તીવ્ર કષાયના ભાવમાં ડૂબેલા જીવને તો આત્માના હિતનો વિચાર જ ઊગતો નથી. ૨. જ્ઞાનનો ક્ષયોપશમ : મંદ કષાયથી જ્ઞાનાવરણીયાદિનો એવો ક્ષયોપશમ થાય છે કે તત્ત્વનો વિચાર અને નિર્ણય કરવા જેટલી જ્ઞાનની શક્તિ પ્રગટી છે; જુઓ તત્ત્વ નિર્ણય કરવા જેટલી બુદ્ધિ તો છે. પણ જેને આત્માની દરકાર નથી તે જીવ તત્ત્વનિર્ણયમાં પોતાની બુદ્ધિ જોડતો નથી અને બહારના વિષય-કષાયમાં જ બુદ્ધિ લગાવે છે. જ્ઞાનનો ક્ષયોપશમ એટલે જ્ઞાનનો ઉઘાડ. મતિ-શ્રુતજ્ઞાનનો ઊઘાડ.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy