SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ આ વિશુદ્ધ લબ્ધિમાં ઉપાદાનકારણ સંકલેશ પરિણામોની હાનિ અને વિશુદ્ધતાની વૃદ્ધિ અર્થાતુ મંદ કષાયરૂપ ભાવ હોય છે. અને તથા પ્રકારે કર્મની સ્થિતિ થવી અર્થાત્ મોહકર્મનો મંદ ઉદય થવો તે નિમિત્ત છે. તેથી તત્ત્વવિચારનો ઉદ્યમી થાય છે. શુભ પરિણામ તે શાતા વેદનીય વગેરે શુભ પ્રવૃત્તિઓના બંધનું કારણ છે તે શુભ પરિણામની પ્રાપ્તિ થવી તે વિશુદ્ધિ લબ્ધિ છે. ૩. દેશના લબ્ધિઃ જીવની દશા જ્યારે ઉપરોક્ત પ્રમાણે થાય છે ત્યારે તેને સદ્ગુરુનો બોધ સુહાય છે. ભવ્ય મુમુક્ષુ આત્મા સંસારથી ભયભીત બની આત્મકલ્યાણની ભાવનાથી પ્રેરીત થઈ પોતાના કલ્યાણનો માર્ગ સ્વયં ન જાણતો હોવાથી સદ્ગુરુ સમક્ષ ઉપસ્થિત થઈ તેનું શરણું સ્વીકારે છે. ત્યારે સદ્ગુરુ આત્મકલ્યાણનો માર્ગ દેશના દ્વારા બતાવે છે. “હે ભવ્ય ! આગમમાં દર્શાવેલ છ દ્રવ્ય, સાત તત્ત્વાદિ, કર્મોનું યથાર્થ સ્વરૂપ અને તારા ભગવાન આત્માનું યથાર્થ સ્વરૂપ સમજવું એ પ્રથમ કર્તવ્ય છે. વિશ્વ વ્યવસ્થા, વસ્તુ વ્યવસ્થા, દ્રવ્યની સ્વતંત્રતા, ક્રમબદ્ધ પર્યાય, ઉપાદાન-નિમિત્ત, નિશ્ચયવ્યવહાર એ બધાના યથાર્થ જ્ઞાનની સંપ્રાપ્તિ વિના કેવળ બાહ્ય ક્રિયા, વ્રતાદિ વગેરેથી અનાદિકાળનું ગ્રહણ કરેલ મિથ્યાત્વ ટળતું નથી. જ્ઞાન સહિત ક્રિયાથી જ મોક્ષ થાય છે. એ બાહ્ય ક્રિયાઓ, વ્રત, તપશ્ચરાગ વગેરે આત્મજ્ઞાન વગર એકડાં વગરના મીંડા જેવા છે. સર્વ પ્રથમ ત્યાગ શેનો કરવાનો છે? જે વસ્તુએ જીવને અનાદિકાળથી સંસાર પરિભ્રમણ કરાવ્યું છે તે દર્શનમોહ’ અને ‘અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ કષાયોનો સર્વ પ્રથમ ત્યાગ આવશ્યક છે. મિથ્યાત્વનું સ્વરૂપ સમજી એ કેમ ગળે અને ટળે, શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાયનું કેમ પ્રગટપણું થાય - આ બધું તને સદ્ગુરુના બોધથી સમજાશે અને તેથી પ્રથમ તારી અભિપ્રાયની ભૂલ ટળવી ઘટે. ક્રિયાની ભૂલ પછી ક્રમે ક્રમે જશે. ગચ્છમતની જે કલ્પના છે તે રાગ-દ્વેષના પરિણામ ઊભા કરે છે માટે આ સવ્યવહાર પણ નથી.” ‘પુણ્યથી ધર્મ થાય એ માન્યતા જુદી છે. એ બંધનું કારણ છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટ થાય એ ભ્રમ છે.” આવી દેશના જ્યારે સાંભળે અને લક્ષમાં લે, તેના લીધે સુવિચારણાની ફુરણા થાય અને નિજ જ્ઞાન પ્રગટે, જે જ્ઞાનથી મોહનો ક્ષય થઈ નિર્વાણપદની પ્રાપ્તિ થાય તેને “દેશના લબ્ધિ' કહે છે. પ્રત્યક્ષ સત્પરુષ એવી દિશના લબ્ધિ’નું નિમિત્ત છે. ઉપદેશીત છ દ્રવ્યો, નવ પદાર્થો, વસ્તુનું સ્વરૂપ આદિની ધારણાની પ્રાપ્તિ થવી તે ઉપાદાનકારણ છે અને તથા પ્રકારે કર્મની સ્થિતિ થવી તેમ જ તેવા ઉપદેશના નિમિત્ત આચાર્યાદિનો લાભ થવો તે નિમિત્તકારણ છે. દેશનાનું પરિણમન તે દેશના લબ્ધિ છે. ૪. પ્રાયોગ્ય લબ્ધિઃ દેશના લબ્ધિ પ્રાપ્ત થયા પછી ગુરુની આજ્ઞા પ્રમાણે અનુસરણ થાય છે. વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થવાથી જીવ અંતર્મુખ બની જગત પ્રત્યે ઉદાસીન થઈ જાય છે. એના પરિણામો
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy