SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ૩) મારું એ સાચું નહિ, સાચું એ મારું. ૪) કે ઈ પણ જાતના પૂર્વગ્રહો, કદાગ્રહો વગર ખુલ્લુ રાખેલું મન. ૫) ગચ્છ, મત, સંપ્રદાયની કલ્પના, ભાવનાનો ત્યાગ. ૬. મધ્યસ્થતા તટસ્થ નીતિ, સમભાવ, સમતા, સમદષ્ટિ, જ્યાં સુધી પૂર્ણ તત્ત્વની પ્રાપ્તિ -અનુભૂતિ ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનો આગ્રહ રાખ્યા વગર મધ્યસ્થભાવ, તટસ્થતા. એક જ વસ્તુને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જુદી જુદી રીતે જોઈ શકાય એવું વસ્તુનું અનેકાંત સ્વરૂપ છે તે મધ્યસ્થ ભાવ છે. સરળતા : ૧) માન, માયા વગેરેનો ત્યાગ. વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું માનવું. ૨) કોઇ પણ જાતની વક્રતા વગર વાસ્તવિકતાનો સ્વીકાર. ૩) પોતે માની લીધેલી મોટાઇનો ત્યાગ. ૪) વિનય એ સરળતા ગુણમાં પ્રથમ છે.. ૫) સરળતા એ ચિત્તની વિશુદ્ધિ છે - છળકપટ મલિનતા છે. ૮. જિતેન્દ્રિયપણુંઃ ૧) પાંચે ય ઇન્દ્રિયના વિષયો પર વિજય, કાબુ. ૨) જીવનમાં પ્રભુત્વ આત્માનું - નહિ કે ઇન્દ્રિયોનું ૩) એ માટે યોગ્ય યમ, નિયમ, વ્રત, પચ્ચખાણ. ૪) એ માટે સત્ય પુરુષાર્થ - નિયમિતતા દરેક ક્ષેત્રે. ૫) રવજાગૃતિપૂર્વક જીવનનો ઉપક્રમ. ૯. દયા દયા ધર્મનું મૂળ છે. પરદયા અને સ્વદયા - અહિંસા પરમો ધર્મ. સર્વ જીવોને સુખ જોઈએ છે માટે જો પોતાને સુખ જોઈતું હોય તો સર્વ જીવો પ્રત્યે દયા. ૧૦. શાંતિઃ આત્માની દયા આવી, સંસારથી પાછો વળ્યો તો જ્ઞાનીની આજ્ઞાએ વર્તાય તેટલી શાંતિ વેદાય. શાંતિ એટલે બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું. શારીરિક, માનસિક, આત્મિક શાંતિ. વિભાવથી મુકાઇ - સ્વભાવમાં રહેવું તે શાંતિ. ૧૧. સમતાઃ દયા, શાંતિ પછી ધર્મના માર્ગે સમતા આવે. રાગ-દ્વેષના પરિણામ ઓછા થાય. નિજ સ્વરૂપમાં ઠરી રહેવું એ જ સમતા છે. સમતા એ આત્માનો સહજ સ્વભાવ છે. ઉદયના વિચિત્ર પ્રસંગોએ જ્ઞાનપૂર્વક પોતાના સ્વભાવના લક્ષે પોતાના પરિણામ ન બગાડવા એ સમતા છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy