SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વમદ્રવ્ય દેવદ્રવ્ય જ છે. પૂ. પાદ સુવિહિત આચાર્યાદિ મુનિભગવતેનું શાસ્ત્રાનુસારી સચોટ માર્ગદર્શન. સુપનની ઘીની બોલીમાં ચાજ વધારીને તે વધારે સાધારણમાં લઇ જવાય કે કેમ? તે સંબધી પૂ. પાદ સુવિહિત આચાર્ય મહારાજાઓને શાસ્ત્રાનુસારી મહત્ત્વનો નિર્ણય નોંધ: અત્રે એક મહત્વને અને સમસ્ત ભારતભરના શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘને હંમેશને માટે શાસ્ત્રાનુસારી માર્ગદર્શન પ્રાપ્ત થાય તે એક શુભ ઉદ્દેશથી નીચે પત્ર વ્યવહાર પ્રસિદ્ધ થઈ રહેલ છે. . તેને ઈતિહાસ આ મુજબ છે. વિ. સં. ૧૯૯૪ની સાલમાં શાંતાક્રુઝ ખાતે પૂ. પાદ સિદ્ધાંતમહેદધિ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞાથી પૂ. મુનિવર શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે શ્રી સંઘની વિનંતિથી પધાર્યા હતા. તે સમયે સંઘના કેટલાક ભાઈઓની ભાવને સાધારણ ખાતાના ખર્ચને પહોંચી વળવા સુપનની બેલીમાંના ઘીના ભાવ વધારીને તે ભાવ વધારો સાધારણમાં લઈ જવાની થઈ તે વાત સંધમાં જયારે ઠરાવ મૂકાઈ ત્યારે તે ચાતુર્માસમાં શ્રી પર્યુષણ પર્વની આરાધના કરાવવા શ્રી સંઘની વિનંતિથી પધારેલા પૂ. મુનિ મહારાજાઓએ તેને સારી રીતે વિરોધ કરતાં જણાવ્યું કે આ વસ્તુ વ્યાજબી થતી નથી. શાસ્ત્રાનુસારી તથા વ્યવહારૂ પણ નથી. સ્વપ્નાની બેલીમાં આમ સાધારણ ખાતાની ઉપજ ભેળવી
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy