________________
અલગ અને અન્ય સમુદાયો માટે અલગ ઃ આ રીતનો ન હતો. બલ્કે દરેક સમુદાય માટે એક સમાન હતો. તેમાં તપાગચ્છના ૧૮ સમુદાયોએ કોઈ સંકોચ વિના સહીઓ કરી. એક સમુદાયે (જે પાછળથી સમાંતર સંમેલનમાં જોડાઈ ગયો તેણે) કેટલોક સમય ચર્ચા કરીને એ જ નીતિ-નિયમોને આધીન સહી કરી હતી.
સહી ન કરનાર સમુદાયનો વાંધો મુખ્યત્વે પરિપત્રની કલમ નં.૨ અંગે હતો. આ કલમમાં એ ભાવની રજૂઆત હતી કે સંમેલનના નિર્ણયો સર્વસંમતિથી કરવાના પૂર્ણ પ્રયત્નો રહેશે, પરંતુ કોઈ વિશિષ્ટ અત્યંત જરૂરી બાબતો હશે ને સર્વસંમતિ નહિ સધાઈ હોય તો ગીતાર્થ ગચ્છાધિપતિ ભગવંતો દ્વારા શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય સુવિહિત પરંપરાને ધ્યાનમાં રાખીને બહુમતીથી પણ નિર્ણય લઈ શકાશે. આ કલમ અંગે તેઓનો વાંધો ‘શાસ્ત્રસૃષ્ટિસહિત અનેક રીતે નિરર્થક છે” એમ સમજાવીને તેઓને સાથે લેવા કાજે શ્રમણસંમેલનના જૂજ દિવસો પૂર્વે પાલિતાણામાં જ વરિષ્ઠ પૂ. આચાર્યદેવો સહિતના ગુરુભગવંતોએ તેમની સાથે વિમર્શબેઠક કરી. તેમાં તેમની વાત અનેક દૃષ્ટિએ બરાબર ન હોવાનું વિસ્તારથી પ્રેમપૂર્વક સમજાવાયું. પરંતુ તેઓ તેમના હઠાગ્રહ પર કાયમ રહ્યા. તે પછી ય શ્રમણસંમેલનની પૂર્વસન્ધ્યા સુધી સમજાવટના પ્રયાસ જારી રહ્યા. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ પણ આ અંગે ખૂબ પ્રયત્નો કર્યા. પરંતુ તેઓ કોઈ રીતે સંમત ન થયા. તે પછી તેઓએ એકાએક જ, શ્રી સંઘના શ્રમણસંમેલનના મંગલ પ્રારંભ દિને પોતાના માત્ર ત્રણ સમુદાયો પૂરતું સમાંતર સમંલેન શરૂ કરીને બીજા દિવસે અખબારી જાહેર નિવેદન આપી પ્રવરસમિતિ પર દોષારોપણ કર્યું. આશ્ચર્ય તો એ છે કે એમનું કહેવાતું સંમેલન શરૂ થયાના બીજા દિવસે-ફાગણ વદિ ચોથે ઉપરોક્ત નિવેદન આવ્યું અને તેમાં પોતાનું સંમેલન ફાગણ દિ ત્રીજે શરૂ થશે તેમ લખાયું. ગંભીરતાથી વિચાર કરનાર વર્ગની દૃષ્ટિએ તેમનું આ કથિત સંમેલન હાસ્યાસ્પદ ચેષ્ટાથી વિશેષ કાંઈ ન હતું.
વિરોધ કરનાર મુખ્ય સમુદાયે પોતાના સમુદાય અંગેના વિષયોમાં ૧૦ મી કલમ આ ભાવની રાખી છે કે શાસનના મહત્ત્વના પ્રશ્નોમાં (એમના સમુદાયમાં) સર્વસંમતિ ન સધાય તો પોતાને (અર્થાત્ ગચ્છાધિપતિને) અને (ત્રણ પૈકી) બે સંચાલકને સંમત નિર્ણય કરવાનો રહેશે... આમાં સ્પષ્ટપણે સર્વસંમતિ ન સધાય તો બહુમતીની જ વાત છે. ૧૦ મી કલમ અંગે એમનામાં
વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન છ