SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના કરી હોવાના શાસ્ત્રોબ્લેખો છે. આ વાતને પ્રવચનમાં વિશેષ પ્રસ્તુત કરવી. ઉપધાનતપ-છ'રી પાલક સંઘ-વર્ષીતપ પ્રારંભ જેવા આયોજનો ત્યાં કરાવી શકાય. છેવટે પ્રત્યેક વર્ષીતપના આરાધક વર્ષીતપ દરમ્યાન એક વાર તો શ્રી આબૂતીર્થની યાત્રા કરે તેવી પ્રેરણા કરવી. • ઠરાવ નં.૧૮ | આપણા જિનાલયોમાં પૂજારીરૂપે કાર્ય સંભાળનાર વર્ગ લગભગ અજૈને જોવા મળે છે. એમના અજ્ઞાનાદિથી પ્રભુજીની ભક્તિમાં દુર્લક્ષ્ય-આશાતના વગેરેના ગંભીર પ્રશ્નો સર્જાય છે. આના વિકલ્પરૂપે, અન્યત્ર જોવા મળે છે તેમ, જૈન વર્ગને જ આ માટે તૈયાર કરવો. જેને “જિનભક્ત” જેવું માનવંતુ નામ આપી શકાય. આ માટે સરાક જાતિના-બોડેલી તરફની પરમાર ક્ષત્રિય જાતિના તેમજ અન્ય તેવા જૈનોને એક ટ્રેનીંગ સંસ્થા” દ્વારા તૈયાર કરીને જોડવા. તેમને ઊંચું વેતન મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવી. • રાવ નં.૧૯ I. છેલ્લા કેટલાક સમયથી કોઈ કોઈ ગુરુભગવંતોના કાલધર્મ બાદ એમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે વાહનોમાં દૂર સુધી લઈ જવાની પ્રવૃત્તિ કવચિત્ થઈ રહી છે. આવી પ્રવૃત્તિનો સખત નિષેધ કરવાપૂર્વક આ શ્રમણસંમેલન જણાવે છે કે હવેથી કોઈએ પણ આ રીતે વાહનનો ઉપયોગ કરવો નહિ. પોતાના ગુર્વાદિ વડિલો અંગે જે શ્રમણો આ નિયમનો ભંગ કરશે તેમની સાથે સમસ્ત શ્રમણ સંઘ એક વર્ષ માટે સર્વ વ્યવહારો સ્થિગિત કરી દેશે અને તે સમય દરમ્યાન તેઓ શ્રમણ સંઘની કોઈ પણ સમિતિમાં કોઈ કાર્ય કરી શકશે નહિ. • ઠરાવ નં.0 . દરેક શ્રમણ-શ્રમણીએ પોતાના ગુર્નાદિ વડીલોની આજ્ઞામાં રહીને જ સંયમસાધનાદિ કવા. કોઈ વિષમ પરિસ્થિતિમાં તેમનું સ્થિરીકરણ ના થતું હોય તો ય અન્ય સમુદાયના ગુરુજનોએ તેમને પોતાના સમુદાયમાં એકાએક સ્વીકારવા નહિ. જે સાધુ-સાધ્વીજી અન્ય સમુદાયમાં પ્રવેશવા ઈચ્છે તેમણે પોતાના ગુરુ, વંદના વડીલ તથા ગચ્છાધિપતિની લેખિત સંમતિ મેળવીને જ અન્ય સમુદાયમાં પ્રવેશવું. જે સમુદાયમાં તેઓ પ્રવેશવા ઈચ્છે તે સમુદાયના ગચ્છાધિપતિએ આવવા ઈચ્છુક શ્રમણશ્રમણીના ગુરુ, વૃંદના વડિલ તથા ગચ્છાધિપતિ ત્રણેયની લેખિત સંમતિ મેળવીને જ પ્રવેશ આપવો. ...વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન ||
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy