SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ ऋद्धि : ॐ अहँ नमो तत्ततवाणं ॥ मंत्र : ॐ नमो चक्रेश्वरीदेवी चक्रधारिणी चक्रेणानुं कुलं साधय साधय शत्रुन् उन्मूलय स्वाहा ॥ આ સત્તાવીસમા કાવ્ય-મંત્રનો કાળી માળાથી જાપ કરીને સિદ્ધ કરવો. ત્યાર બાદ જાપ કરતાં કાળી ધોતી પહેરવી, કાળો કપડો ઓઢવો, મરી પ્રમુખનો હોમ કરવો. અલુણું જમવું. જેથી શત્રુ તરીકેનું જેનું ઉચ્ચારણ હશે તે પરેશાન થશે. તાંત્રિકો પણ શત્રુના ઉચ્ચાટન માટે કાળા કપડાં તથા અમુક દિવસની ગધેડાની પગની રજનો ઉપયોગ કરી શત્રુની પીઠ ઉપર નાંખે છે. શ્લોક ૨૭નો પ્રભાવ બતાવનારી કથા ' ગુજરાતના રમ્ય પ્રદેશમાં ગોદાવરી નદી વહી રહી છે. તેના કિનારા ઉપર વસેલું પૈઠણપુર નગર પણ અનેક ઉંચાનીચા સુંદર મકાનોથી શોભી રહ્યું છે, વળી ત્યાંનો હરિસિંહ રાજા પણ ન્યાયી અને પ્રજાને ઘણો પ્રિય છે. રાજા સર્વ વાતે સુખી છે, પરંતુ તેને એક પુત્રનહિ હોવાથી તે બહુ ચિંતા કર્યા કરે છે. અનેક દેવ દેવીઓના હોમ કર્યા, અનેક પ્રકારની બાધાઓ લીધી અને અનેક પ્રકારના જોષી વિદ્વાનોનેદ્રવ્ય આપ્યા, પરંતુ તેને કોઈ સંતાન ન થવાથી તે બહુજ ચિંતાતુર રહે છે. તેથી રાજ્યનું કામકાજ પણ બરાબર થઈ શકતું નથી. તેનો પ્રધાન બહુજ ચતુર અને વિદ્વાન હતો. તેણે વિચાર કર્યો કે જો આમને આમ ચિંતા કર્યા કરશે તો તેમના શરીર અને રાજ્ય એબનેની ખરાબી થશે. માટે તેનો તાત્કાલિક ઉપાય કરવો જોઈએ. એમ વિચાર કરીને તેણે નગરની બહાર ચારે તરફ પોતાના માણસને બેસાડ્યા અને હુકમ કર્યો કે કોઈ પણ સાધુ-સંત-સન્યાસી આવે તો
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy