SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ r નીકળ્યો. પરંતુ રસ્તામાં જ તેને એક ઠગ મળ્યો. તે ઠગ બહુ ચાલાક અને બોલવામાં મીઠો હતો. તેણે કેશવત્તને કહ્યું કે, “જો ભાઈ ! હું પણ તારા જેવોજ ગરીબ છું, અને પૈસા કમાવા નીકળ્યો છું. પરંતુ તપાસ કરતાં મને એક કુવો હાથ લાગ્યો છે. તેમાં એક પ્રકારનો એવો રસ છે કે, જો લોઢા ઉપર તે રસ છાંટીયે તો સોનું થઈ જાય. માટે જો તમે એ કુવામાં ઉતરીને આ તુંબડું રસથી ભરી લાવો તો આપણા બન્નેનું દારિદ્ર દૂર થાય,’ ઠગના લાલચ ભર્યા વચનો સાંભળીને કેશવદત્ત કુવામાં ઉતરવા તૈયાર થયો. કેડે એક દોરડું બાંધ્યું અને તેનો એક છેડો ઠગના હાથમાં આપ્યો. ધીમે ધીમે દોરડાની મદદથી કેશવદત્ત કુવામાં ઉતર્યો. રસથી તુંબડું ભરી લીધું પછી કાંઠે ઉભેલા ઠગે ધીમે ધીમે દોરડું ખેંચ્યું અને કેશવદત્ત ખેંચાતો ખેંચાતો ટેખ કાંઠા લગભગ આવ્યો, એટલે ઠગે કહ્યું, ‘તું પહેલાં મને તુંબડું આપ, પછી હું તને ઉપર ખેંચી લઉં, કારણ કે વખતે તુંબડામાંથી રસ ઢોળાઈ જાય તો વળી ફરી મહેનત કરવી પડે.’’ ભોળો કેશવદત્ત ઠગની લચ્ચાઇ સમજ્યો નહિ, અને તુંબડું ઠગના હાથમાં આપ્યું. ઠગે તુંબડું હાથમાં આવતાં જ એકદમ દોરડું છોડી દીધું એટલે બિચારો કેશવદત્ત કુવાના તળીયે જઈ પડ્યો. બરાબર સીધો પડવાથી બહુ વાગ્યું તો નહિ, પરંતુ મુંઝાવા લાગ્યો, અને અનેક દેવીઓને આ દુઃખમાંથી બચાવવા પ્રાર્થના કરવા લાગ્યો. ત્યાંજ તેને ભક્તામરસ્તોત્રનું સ્મરણ યાદ આવ્યું અને તેના ૮ તથા ૯ મા શ્લોકોનું ચિંતવન કરવા લાગ્યો. એક ચિત્ત આરાધના કરતાં સાક્ષાત ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં અને તેને કુવામાંથી બહાર કાઢ્યો તથા તેનું દારિદ્ર દૂર કરવા અનેક રત્નો આપી તેને સહીસલામત વસંતપુર પહોંચાડ્યો. જો પ્રભુના સ્મરણથી કર્મરૂપી મહાન ઠગો નાસી જાય તો આ બહારના ઠગોના ભયમાંથી પાર પમાય એમાં શું આશ્ચર્ય છે ? તમે પણ
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy