SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ અપાર ભક્તિના પ્રભાવથી બેડીનાં બંધનો તુટવા લાગ્યાં. બહાર ભોંયરામાં પણ લોખંડી તાળાં તૂટી ગયાં. અને હાથમાં બેડીઓ સહિત આચાર્યજી રાજસભામાં આવ્યા. અને કહ્યું “હે રાજન ? આ આખા નગરમાં જે કોઈ સમર્થ પંડિત હોય તેમને બોલાવો અને તેમની વિધાના બળથી આ મારા હાથનું બંધન તોડાવી આપો' આ સાંભળી રાજાએ મયુર બાણ, વિગેરે અનેક પંડિતોને તે બંધનો તોડવા માટે કહ્યું. ત્યારે રાજાની આજ્ઞાથી તેઓએ પોતાની વિદ્યનું બળ અજમાવવા માંડ્યું, પરંતુ કોઈ બેડીનાં બંધન નહિ તોડી શકવાથી બહુજ શરમીંદા પડી ગયા. ત્યારે રાજાની વિનંતિથી આચાર્યજીએ આ સ્તોત્રનો છેલ્લો શ્લોક રચ્યો કે તરત જ એ બધાં બંધનો તુટી ગયાં. આથી રાજા બહુજ આશ્વર્ય પામ્યો, એટલું જ નહિ પરંતુ જૈન ધર્મના રહસ્યને જાણવા માટે ઉત્સુક થયો. ત્યાં આચાર્યજીએ કહ્યું કે “હે રાજન્ ! જેઓ બીજાને ઠગવા અને મુગ્ધ કરવા પોતાની માયાજાળ દ્વારા આશ્ચર્યકારી વાતો બતાવી ભારે અભિમાન દાખવે છે, તેઓ ખરેખરી કસોટીનો પ્રસંગ આવતાં પાછા પડે છે. માટે આવા ચમત્કારોથી ધર્મની કસોટી થતી નથી, પરંતુ તેના સિદ્ધાંતોને સમજવાથી તથા ધર્મની પ્રરૂપણા કરનાર વીતરાગ દેવની નિઃસ્વાર્થ ભાવના જાણવાથી જ ધર્મને સમજી શકાય છે.” આ ઉપદેશની રાજા ઉપર ઘણી સારી અસર થઈ અને ત્યારથી આ સ્તોત્ર વિશેષ પ્રચારમાં આવ્યું. આચાર્યદેવ શ્રી માનતુંગસૂરિ શ્રી વીરપ્રભુની વીસમી પાટે થયા છે. જીંદગીના જોખમે ઉત્પન્ન થયેલ આવા મહાન્ સ્તોત્રને ફકત દિવસમાં એક જ વાર સંભારતાં કયો માણસ આળસ કરશે.
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy