SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શ્રી ભક્તામર સ્તોત્રની ઉત્પત્તિનું કારણ. ઘણા વર્ષો પહેલાં માળવા પ્રાંતની રાજધાની ધારાનગરીમાં રાજા ભોજ રાજ્ય કરતો હતો. તે બહુજ વિદ્વાન અને ઉદાર હતો. તેના રાજ્યમાં અનેક વિદ્વાન પંડિતો વસતા હતા. રાજા તેઓને બહુ માન આપતો; એટલું જ નહિ પણ કેટલીક વખત ધર્મ ચર્ચાઓ કરી, અથવા કોઈ કોઈ ચમત્કારો બતાવવાનું કહી તેઓની શક્તિની પરીક્ષા કરતો હતો. તે અરસામાં મયુર અને બાણ નામે બે સમર્થ વિદ્વાનો ત્યાં રહેતા હતા. તેઓ સસરો જમાઈ થતા હતા. છતાં પરસ્પર વિદ્વત્તા બતાવવા બહુજ હરિફાઈ કરતા હતા. તેથી રાજા પણ કોણ વધારે વિદ્વાન છે તે નક્કી કરી શકતો ન હતો. એક વખત બાણ પંડિતને અને તેની સ્ત્રીને કોઈ કારણસર ઝગડો થયો. તેમાં સ્ત્રીને એટલો બધો ક્રોધ ચઢયો કે બાણ પંડિત ઘણું મનાવે છતાં માને નહિ, એમ કરતાં લગભગ આખી રાત પસાર થવા આવી છતાં સ્ત્રી શાંત થતી નથી. ત્યારે અકળાઈને બાણ પંડિત તે સ્ત્રીના પગમાં પડી ક્ષમા માગવા લાગ્યો. ત્યારે કોપાયમાન થયેલી સ્ત્રી પોતાના પગથી બાણ પંડિતના મસ્તક ઉપર પ્રહાર કરવા લાગી. તેવામાં તે સ્ત્રીનો પિતા મયુર પંડિત જે શૌચ ક્રિયા અર્થે વહેલો ત્યાંથી પસાર થતો હતો. તેણે આ ઝગડાના થોડા ઘણા શબ્દો સાંભળ્યા. પરંતુ તે વ્યાજબી નહિ લાગવાથી તે બોલ્યો “ ના કરે' (એ પ્રમાણે ન કરો તે વચન પુત્રીએ સાંભળ્યું અને પિતાનો સાદ ઓળખ્યો, ત્યારે તેણે વિચાર કર્યો કે જમાઈ અને પુત્રીનો કલહ પિતાએ જોવો તે વ્યાજબી નથી, એમ વિચારી મોઢામાં ભરેલા પાનની પિચકારી નીચે ઊભેલા પિતા ઉપર છાંટી અને શ્રાપ આપ્યો. આથી મયુર પંડિતને જ્યાં પાનની પિચકારીના
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy