SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ કેદખાનામાં લોઢાની બેડીઓ પહેરાવી રણધીરને બાદશાહ બહુજ દુઃખ આપતો. પરંતુ રણધીર બહુજ ધર્મ સંસ્કારી અને જૈન ધર્મમાં અનુરાગવાળો હોવાથી પોતાના ગુરૂએ શીખવેલું ભક્તામર સ્તોત્રનું નિરંતર આરાધન કરતો. દુઃખના સમયમાં ધર્મ એજ એક આલંબન હોવાથી રણધીર પણ શ્રદ્ધાપૂર્વક ગૂરૂએ બતાવ્યા પ્રમા વ પાઠ કરવા લાગ્યો. તેમાં ખાસ કરીને ૪૨ મા શ્લોકનું આર રવાથી કાચા સુતરના તાંતણાની જેમ બેડીના બધા બંધન તુટી ગયા. આને કોઈ પહેરેગીરે સહાય કરી હશે એમ સમજીને ફરી તેને સખત બેડીઓના બંધનમાં નાખ્યો અને દેખરેખ માટે વિશ્વાસું પહેરેગીરોને મૂક્યા. આમ થવા પછી ફરીવાર રણધીરે અનન્ય શ્રદ્ધાથી પ્રભુ ભક્તિ કરવા માંડી અને “આપાદકંઠ મુરૂ ' શ્લોકના આરાધનની સાથેજ બેડીના સખ બંધનો તુટી ગયા અને તે બાદશાહ સામે ખડો થયો. બાદશાહ પણ આ કોઈ ચમત્કારીક પૂરૂષ છે અને તેને છેડવો એ વ્યાજબી નથી. એમ ધારી તેને સન્માન સહિત છૂટો કર્યો, અને ઉત્તમ વસ્ત્ર આભૂષણ વિગેરે આપી પલાશપુર પાછો મોકલ્યો. પાશપુરના લોકોએ પણ માન સિહત આવતા રાજાને જોઈ શહેરમાં આનંદોત્સવ ઉજવ્યો અને જ્યારે તેના પિતાએ આ વાત સાંભળી ત્યારે તો તે બહુજ ખુશ થયા. બાદશાહ પણ ત્યારથી અજમેર ઉપર ચઢાઈ કરવાનું ભૂલી ગયો. જે પ્રાણીને શુદ્ધ સ્મરણથી કાળના કર્મરૂપી બંધનો તુટી જાય છે, તો પછી આ માત્ર લોઢાની બેડીઓ તુટે તેમાં શું આશ્ચર્ય છે? આ મહાનું ચમત્કારિક સ્તોત્રનું સ્મરણ કરવામાં જો તમે આળસ કરશો, તો તમે એક અમૂલ્ય તક ગુમાવી રહ્યા છો, એ ચોક્કસ સમજ્જ.
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy