SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ પોતાની ઈચ્છા પ્રમાણે હુકમ કરી રાજ્ય ચલાવે તે રણકેતુની રાણીને ગમ્યું નહિ. તેથી તેણે કોઈ રીતે ગૃહવને દૂર કરવા પ્રયત્નો કરવા માંડ્યા. એક વખત લાગ જોઈને રાજાને રાણીએ સમજાવ્યું કે તમારા ભાઈ તમને મારીને પોતે રાજા થવા ઈચ્છે છે. અને તે માટે બધી તૈયારી કરી રહ્યા છે, માટે જો તમો ચેતશો નહિ તો પાછળથી પસ્તાવું પડશે. અવિચારી રાજાએ રાણીના વચનોને સાચા માની ગૃહવર્માને એકદમ પોતાના રાજ્યમાંથી કાઢી મુક્યો. સુખ અને દુઃખને સમાન સુણનાર ગૃહવર્મા પણ પોતાના આત્માના કલ્યાણ અર્થે સમય મળ્યો સમજીને નજીકમાં આવેલા એક પર્વતની ગુફામાં રહી ધર્મ ધ્યાન કરવા લાગ્યો. એક વખત રણકેતુ રાજા કોઈ પડોશના રાજ્ય સાથે તકરાર થવાથી મોટું લશ્કર લઈ તે રાજાને હરાવવા નીકળ્યો. પરંતુ રસ્તામાંજ સાંજ પડવાથી પર્વત પાસેના એક ભાગમાં લશ્કર સહિત પડાવ નાખ્યો. ત્યારે ગુફામાં ધ્યાન ધરતા ગૃહવર્માને લશ્કરના કોઈ માણસે જોયા અને રાજાને જણાવ્યું. રાજાએ તો જાણે પોતાનો મોટો દુશ્મન ન હોય તેમ તેને મારવા માણસો મોકલ્યા. કોઈ દિવસ નહિ અને આજે ટોળામાં આવતા ઘણા માણસોને જોઈને ગૃહવર્મા ગુફામાંથી બહાર નીકળ્યો ત્યાં તો ચારે તરફથી લશ્કરે તેને ઘેરી લીધો. કે તરતજ ગૃહવíબધી સ્થિતિ સમજી ગયો અને પોતાને મારવા આ યુક્તિ રચાય છે, તે જાણી પોતે ભક્તામર સ્તોત્રના વૃદ્ધ યતિએ બતાવ્યા પ્રમાણે ૩૮-૩૯ આ બે શ્લોકનું સ્મરણ કરવા લાગ્યો. સાચા પ્રભુના સ્મરણ આગળ શું અશક્ય છે? તરત જ રણકેતુનું આખું સૈન્ય આંધળું થઈ ગયું. અને ખરી દિશા નહિ સુઝવાથી ચારે
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy