SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની સેવા-ભક્તિ કરવા લાગ્યો. ઘણા દિવસો એ પ્રમાણે વીતાવતાં એક દિવસ કોઈ મોટો ગૃહસ્થ એ મુનિને વંદન કરવા આવ્યો. તેના અંગ ઉપર અનેક પ્રકારના દાગીના શોભી રહ્યા હતા તથા તેના કિંમતી વસ્ત્રો જોઈને જિનદાસને પોતાની પૂર્વ સ્થિતિ સાંભળી આવી. તેની આંખમાંથી, એકદમ આંસુ ટપક્યાં. મુનિએ આ જોયું અને પેલા ગૃહસ્થના ગયા પછી જિનદાસને આંસુ આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે બધી હકીકત કહી દેખાડી. આથી મુનિએ કહ્યું, ભાઈ! સુખ-દુઃખ એકર્માધીન છે, તો તેનો હર્ષ-શોક કરવો એ નિરર્થક છે, માટે જે સ્થિતિ આવી પડે તેમાંજ સંતોષ માનવો. છતાં ભક્તામર સ્તોત્રના ૩૭મા શ્લોકનું હું બતાવું તે પ્રમાણે આરાધન કર તો સુખી થઈશ. - જિનદાસ પણ પૂજ્ય મુનિવરના બતાવ્યા પ્રમાણે નિરંતર આરાધના કરે છે એમ કરતાં કેટલાક મિહનાઓ વીતી ગયા. એક વખત કોઈ વણઝારો પોઠીયા ઉપર માલ ભરીને ત્યાંથી નીકળ્યો. તે વસંતપુર તરફ જતો હોવાથી જિનદાસ પણ મુનિરાજની રજા લઈ તેની સાથે જવા નીકળ્યો. રસ્તામાં એક જંગલમાં થઈને કાફલો પસાર થતો હતો, તેવામાં અંદર અંદર ઝાડોના ઘર્ષણ થવાથી એકાએક દાવાનલ લાગ્યો, અને ચારે તરફ અગ્નિની જ્વાળાઓ પ્રસરવા લાગી, આખા કાફલામાં એવી સ્થિતિ આવી પડી કે ન પાછા જવાય કે ન આગળ જવાય. વણઝારો પણ ખૂબ અકળાવા લાગ્યો. તેણે ધાર્યું કે નક્કી આખો કાફલો અગ્નિના ઝપાટામાં આવી જશે. આવી સ્થિતિમાં જિનદાસે વિચાર કર્યો કે આ અગ્નિથી બચી શકાય તેમ નથી જ, ત્યારે શા માટે શુભ ભાવમાં ન મરવું? એમ વિચારી તે ભક્તામર-સ્તોત્રના આ કલ્પાન્તકાલ એ શ્લોકનું મુનિ મહારાજે બતાવ્યા પ્રમાણે આરાધના કરવા લાગ્યો.
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy