SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ એ કે અજ્ઞાતવાસના તેરમા વર્ષ પછી, વિરાટનગરીથી પાછા આવેલા પાંડવો, રાજ્યની માગણી ન કરે એ હેતુથી, ધૃતરાષ્ટ્ર, પાંડવોને સમજાવવા માટે, પોતાના અંગત દૂત એવા સંજયને તેમની પાસે મોકલ્યો. પરંતુ પોતાની આ શાંતિ-યાત્રામાં તે નિષ્ફળ નીવડ્યો અને પાછા આવીને ધૃતરાષ્ટ્રને આ વાત કરી, તેથી ધૃતરાષ્ટ્ર બેચેન બની ગયો; પોતાની બેચેનીમાં રાહત મેળવવા, રાત્રે, તેણે વિદુરને પોતાની પાસે બોલાવ્યો; પરંતુ મહાભારતના ઉદ્યોગપર્વમાંની સુપ્રસિદ્ધ ‘વિદુરનીતિ’થી પણ એની અસ્વસ્થતા દૂર ન થઈ ત્યારે, ધૃતરાષ્ટ્રનાં હિતમાં, વિદુર પોતે જ, બ્રહ્મવિદ્યાના પરમ જ્ઞાતા અને આજાનસિદ્ધ' એવા સનત્સુજાતને, આવાહન કરીને ત્યાં બોલાવે છે અને ધૃતરાષ્ટ્રને કશોક ઉચિત અને આવશ્યક ઉપદેશ આપવા તેમને વિનંતી કરે છે, ત્યારે, ‘વિદુરનીતિ’ની જેમ જ સુપ્રસિદ્ધ ‘સનત્સુજાતીય’-નામે આઠ અધ્યાયમાં, તેઓશ્રી, એક પ્રશ્નના ઉત્તરરૂપે, ધૃતરાષ્ટ્રને કહે છે કે ‘હું તો પ્રમાદને જ મૃત્યુ કહું છું' : પ્રમાદું વૈ મૃત્યું અહં દ્રવીમિ । અને આ જ સંદર્ભમાં બીજી મહત્ત્વની હકીકત એ છે કે ‘સનત્સુજાતીય’માંનો આ ઉપદેશ આચાર્યશ્રીને એવો મૂલ્યવાન જણાયો કે તેમણે પોતે તેના પર ભાષ્ય રચ્યું અને આ જ વાતનો, અહીં, આ શ્લોકમાં ઉલ્લેખ છે. સહુ જાણે છે તેમ, મૃત્યુ એ મનુષ્યનાં જીવન સાથે સ્વાભાવિક રીતે જ સંકળાયેલી એક અનિવાર્ય ઘટના છે. એની અનિવાર્યતા પર ભાર મૂકવા માટે જ, ભગવાન શ્રીકૃષ્ણ, ગીતામાં, જન્મેલા જીવ માટે મૃત્યુને ‘ધ્રુવ' કહ્યું છે : નાતસ્ય હિં ધ્રુવો મૃત્યુઃ । (૨, ૨૭). ઈશ્વર-રચિત આ ઘટમાળથી કોઈ જ શરીરધારી જીવ મુક્ત નથી. ભૂતમાત્રનાં જીવનને અંતે સુનિશ્ચિત એવાં આ મૃત્યુનાં સ્વરૂપને સહુ જાણે છે પરંતુ આ ‘પ્રમાદ’ વળી ‘મૃત્યુ’ કેવી રીતે ? - એવો સવાલ સ્વાભાવિક રીતે જ સહુ કોઈને થાય. એટલે, સૌપ્રથમ ચોખવટ એ કરવાની રહે કે ‘મૃત્યુ’-શબ્દ અહીં ‘વાચ્યાર્થ’માં (Literally) પ્રયોજાયો નથી, પરંતુ એનો ‘આલંકારિક' (Metaphorical) અર્થ સમજવાનો રહે છે. વાચ્યાર્થમાં મૃત્યુ એટલે જીવનનો અંત; એ જ પ્રમાણે, સાધક માટે પણ ‘પ્રમાદ' એટલે એની સાધના-કારકિર્દીનો અંત ! સાધકનાં જીવનનું સુનિશ્ચિત ધ્યેય છે, મોક્ષપ્રાપ્તિ; પરંતુ જો તે આ ધ્યેયને સંપન્ન કરવામાં ‘આળસ' (પ્રમાદ) કરે, મોક્ષપ્રાપ્તિ માટે બેદ્દકાર કે નિષ્ક્રિય રહે, એની ઉપેક્ષા કરે, પરમ-પુરુષાર્થ એવા મોક્ષને બદલે સંસારી જીવનનાં ધર્મ-અર્થ-કામ એવા ત્રણ પુરુષાર્થોની આળપંપાળમાં ફસાઈ જાય તો, એની મોક્ષસાધનારૂપી જીવન-કારકિર્દીનો ત્યાં જ વિવેકચૂડામણિ / ૫૯૧
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy