SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આમાં એને તકલીફ ન પડવી જોઈએ, કારણ કે અહંકારનું મૂળભૂત સ્વરૂપ આ પહેલાંના ત્રણ શ્લોકોમાં સ્પષ્ટરીતે અને એની સાથે સંકળાયેલાં સર્વ પાસાં સહિત નિરૂપવામાં આવ્યું છે. અને શાંતિ પામતાં પહેલાં, તેણે પોતાના આત્માની બે વિશિષ્ટ બાબતો જાણી લેવાની રહે છે : (૧) ભૂત, વર્તમાન અને ભવિષ્ય, – એ ત્રણેય કાળમાં એને બાધિત કરી શકે એવું કશું જ નથી, એ સર્વ-બાધા-રહિત છે, ત્રિકાલાબાધિત છે; અને (ર) એ અખંડ જ્ઞાનસ્વરૂપ છે, સંપૂર્ણ અને મૂર્તિમંત જ્ઞાનમાત્ર છે, બોધમાત્ર છે. બસ, આટલું નિષ્ઠાપૂર્વક સંપન્ન કરવામાં આવે એટલે, સાધક માટે શાંતિ પામવામાં કશો જ અંતરાય ન રહે. એ શાંતિ, પછી તો, પૂર્ણ અને પરમ જ હોય, – ગીતા કહે છે તેવી “નૈષ્ઠિકી”. (૫, ૧૨) મોક્ષ એ આત્યંતિક સુખ છે, પણ શાંતિ એની પૂર્વભૂમિકા છે. આથી જ ગીતા છે કે “અશાંત' હોય તેને આવું સુખ ન મળે : મીના સુતા સુહમ્ II ૨, ૬૬ છે . શ્લોકનો છંદઃ ઉપજાતિ. (૨૭) ૨૯૮ त्यजाभिमानं कुलगोत्रनाम -रूपाश्रयेष्वादशवाश्रितेषु । लिंगस्य धर्मानपि कर्तृतादी ' -ત્યવવા મવા સુસ્વરૂપ છે ૨૧૮ | શ્લોકનો ગુજરાતી પાઠ : ત્યજાભિમાન કુલગોત્રનામ -રૂપાશ્રયેથ્વાદ્ધશવાશ્રિતેષ લિંગમ્ય ધર્માનપિ કતાદી -ત્યકતા ભવાખંડસુખસ્વરૂપ / ર૯૮ , શ્લોકનો ગદ્ય અન્વયઃ (સતર) માર્ક-વ-આશિષ સુત-ગોત્ર-નામ-રૂપआश्रयेषु अभिमानं त्यज । लिंगस्य कर्तृतादीन् धर्मान् अपि त्यक्त्वा Guસુવસ્વરૂપ: મવ || ર૧૮ || શબ્દાર્થ ઃ શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો છે : (૧) (:) પમાને ત્યા ! આથી, આ પહેલાંના શ્લોકોમાં નિરૂપિત વાતોને લક્ષમાં રાખીને, તું તારું અભિમાન છોડી દે. ક્યાં અભિમાનને છોડવાનું ૫૪૨ | વિવેચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy