SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ તે છતાં પરબ્રહ્મ સ્વરૂપની કેટલીક, અસામાન્ય કહી શકાય તેવી વિશિષ્ટતા, આ પ્રમાણે, નોંધપાત્ર છે : આ માયા એટલે એક પ્રકારની કપટ-યુક્તિ, ખોટો દેખાવ, Illusion, Trickery, Artifice, એવું એક, એનાં નામ પ્રમાણે, “માયાવી તત્ત્વ છે, જે બ્રહ્માંડમાં અનેક ભેદો, ઉપાધિઓ, કાર્ય-કારણને સર્જે છે, પરંતુ બ્રહ્મ તો “એક અને અદ્વિતીય' છે, તેથી આવા કશા કપોલ-કલ્પિત ભેદોથી સદા-સર્વદા તે મુક્ત જ હોય છે. “માયા પણ વેદાન્ત-દર્શનનો એક પારિભાષિક શબ્દ છે, અને ઉપનિષદોમાં તથા વેદાન્તના ગ્રંથોમાં તે, અનેક વાર, જૂદા જૂદા અનેક સંદર્ભોમાં, પ્રયોજાયો છે. આ સંદર્ભો ભલે ભિન્ન હોય, પરંતુ એનો તાત્પર્યાર્થ તો હંમેશાં એક અને અસંદિગ્ધ જ રહ્યો છે. માયા પરમ બ્રહ્મની સત્ત્વમયી શક્તિ છે અને એનું અધિષ્ઠાન એ જ બ્રહ્મ છે. સત્ત્વગુણની સંપત્તિ અને સમૃદ્ધ જમાપાસું છે, તેથી તેના આશ્રયભૂત એવાં બ્રહ્મને પોતાના વશમાં લાવવામાં એને રસ જ નથી. એથી ઉલટું, બ્રહ્મને વશ રહેવામાં જ એની કૃતાર્થતા છે. આ જ માયા, જગતમાં અને જીવાત્માઓમાં, ઉપાધિઓ તથા કાર્યકારણના અનેક ભેદો સર્જે છે, પરંતુ આવા ભેદો, એક અને અદ્વિતીય એવાં, તેનાં અધિષ્ઠાનસ્વરૂપ પરબ્રહ્મને કશી જ હાનિ પહોંચાડી શકતા નથી. શ્લોકમાંનાં નિરતમાથાકૃિત, – પરબ્રહ્મનાં આ વિશેષણનો આ જ ગર્ભિતાર્થ છે. શરીર, ઇન્દ્રિયો અને મન-બુદ્ધિ તરફથી મળેલાં “સુખને સાચા અર્થમાં “સુખ’ કહેવાય જ નહીં, કારણ કે તે ક્ષણિક હોય છે, અને અંતે તો દુઃખસ્વરૂપ જ નીવડે છે, જ્યારે બ્રહ્મનું સુખસ્વરૂપ આદિ-અંત-વિનાનું, નિત્ય, શાશ્વત અને અતીન્દ્રિય, Beyond the cognition of senses હોય છે, – જેને એકને જ, યથાર્થ રીતે, સુખ' એવું નામ આપી શકાય. જગતની સર્વ વસ્તુઓ સર્જન, એટલે કે કલાઓ-અવયવો-ભાગોવાળી હોય છે, અને તેથી જ તે સર્વ, નવેસરથી બનાવવામાં આવેલી, “કૃત્રિમ', સાવયવ હોય છે, જ્યારે બ્રહ્મ તો જન્મ-મૃત્યુરહિત હોવાથી, તદન અકૃત્રિમ, સહજ, સ્વાભાવિક, નિરવયવ અને નિરાકાર હોય છે, જેને દાર્શનિક પરિભાષામાં નિષ્ણને કહેવામાં આવે છે. ન્યાય-વૈશેષિક દર્શનોના સિદ્ધાંત પ્રમાણે, કોઈ પણ પ્રકારનાં જ્ઞાનની પ્રમાણભૂત પ્રાપ્તિ માટે, પ્રત્યક્ષ-અનુમાન વગેરે ચાર પ્રમાણો' નિરૂપવામાં આવ્યાં છે. આવાં પ્રમાણો વડે જેનું જ્ઞાન મેળવી શકાય, તેને ‘પ્રમેય” (Measurable, Finite) કહી શકાય. પરંતુ બ્રહ્મસ્વરૂપનું જ્ઞાન આવાં કોઈ પ્રમાણો આપી શકે નહીં, કારણ કે બ્રહ્મ તો “અપ્રેમય' (Immesurable), અમાપ (Inlinite) છે. એ જ રીતે, પરબ્રહ્મ મનોવા–અતીત છે, ઇન્દ્રિયાતીત છે, કારણ કે તેને કોઈ શરીર નથી, એટલે રૂપરહિત છે, “અરૂપ' છે. માથા એટલે વર્ણન, વ્યાખ્યાન, નામ, પરંતુ બ્રહ્મ તો વાચાતીત, વર્ણનાતીત . વિવેકચૂડામણિ | ૪૪૫
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy