SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદયની અંદર આ (બ્રહ્મરૂપ) આકાશ છે. આની (બુદ્ધિરૂપ ઉપાધિવાળા બ્રહ્મરૂપ આકાશની) અંદર જ સ્વર્ગ અને પૃથ્વી બંને સારી રીતે સ્થિત છે.) આ શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૩૪) - ૧૩૫ ज्ञाता मनोऽहंकृतिविक्रियाणां देहेन्द्रियप्राणकृतक्रियाणाम् । अयोऽग्निवत् तामनुवर्तमानो न चेष्टते नो विकरोति किंचन ॥ १३५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - જ્ઞાતા મનોકાંકૃતિવિદિયાણાં દેહેજિયપ્રાણતક્રિયાણામ્ | અયોડગ્નિવત્ તામનુવર્તમાનો ન ચેષ્ટતે નો વિકરોતિ કિંચન ૧૩૫ / શ્લોકનો ગદ્ય અન્વય – મનોહંવૃતિવિજિયાનાં હેન્દ્રિયપ્રવૃતક્રિયાળાં (૨) જ્ઞાતા તાં અનુવર્તમાન: (પ) મયં માત્મા વેદો, નો વિન (૨) વિરતિ | શરૂ | શબ્દાર્થ – (મયે માત્મા) મન: અહંવૃતિવિજિયાનાં હૃ-ક્રિા-પ્રાળ-ક્રિયાળાં () જ્ઞાતા (તિ) / વિજિયા એટલે વિકાર, પરિવર્તન; જ્ઞાતા જાણકાર, જાણનાર, જાણે છે. આ આત્મા મન અને અહંકારના વિકારોને અને શરીર-ઇન્દ્રિયો-પ્રાણોની ક્રિયાઓને જાણે છે; વળી, તાં અનુવર્તમાન: (પ) - તેમને (એટલે કે મન વગેરેને) અનુસરતો હોવા છતાં; ને વેષ્ટતે - હકીકતમાં, વસ્તુતઃ, કશી ક્રિયા કરતો નથી, કોઈ ચેષ્ટા કરતો નથી; એ તો (૧૩) વિવન વિવાતિ | - પોતે લેશમાત્ર, જરા પણ વિકાર પામતો નથી, તેના પોતાનામાં કશો ફેરફાર થતો નથી, કશું પરિવર્તન થતું નથી; કોની જેમ ? :- નવત. અય: એટલે લોઢું; તપાવેલાં લોઢાંની જેમ; લોઢાંમાં, લોઢાંના ગોળામાં પ્રવેશેલા અગ્નિની જેમ. (૧૩૫) અનુવાદ – (આ આત્મા) મન અને અહંકારના વિકારોને તથા શરીર, ઈન્દ્રિયો અને પ્રાણોની ક્રિયાઓને જાણે છે; વળી, તેમને (એટલે કે, મન વગેરેને). અનુસરતો હોવા છતાં, હકીકતમાં, તપાવેલાં લોઢામાં રહેલા અગ્નિની જેમ, તે કશી ક્રિયા કરતો નથી, અને તે પોતે લેશમાત્ર વિકાર પામતો નથી. (૧૩૫). ટિપ્પણ :- શરીરમાં રહેલા, કારણ શરીરમાંના પેલા અ-વ્યાકૃત આકાશમાં વસતા આ અંતરાત્માની એક આશ્ચર્યકારક વિશેષતા (speciality) આ શ્લોકમાં નિરૂપવામાં આવી છે. વિવેકચૂડામણિ | ૨૬૧
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy