SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે, કેમ કરીને, પામે છે? સત્ત્વ, રજસ્ અને તમસ, - સાંખ્યદર્શન-પ્રબોધિત આ ત્રણ ગુણોના સંબંધ વડે, - સાબિયોન. (૧૦૬). અનુવાદ :- તે (ગયા શ્લોકમાં નિરૂપિત ભાવ) “અહંકાર'-નાં નામે ઓળખાય છે, અને આ(અહંકાર) કર્તા-ભોક્તા-પણાનો અભિમાની (બને) છે; અને, સત્ત્વ વગેરે ત્રણ ગુણોના સંબંધથી, તે ત્રણ અવસ્થાઓને પામે છે. (૧૬) ટિપ્પણ:- “અહંકાર” શબ્દની પૂર્વભૂમિકા, આ પહેલાંના શ્લોકમાં, ગ્રંથકારે નિરૂપી છે. અંતઃકરણની હું-પણાના ભાવની અનુભૂતિ અથવા પ્રતીતિ - એ જ અહંકાર'. મન્તઃર મહં–મદં વતિ યર્મિન : ભાવ અદંડ સરખાવો, આવા બીજા શબ્દો : હાહાકાર, હુંકાર વગેરે. જે એક વધારાની વાત, જીવાત્મા વિશે, અહીં કહેવામાં આવી છે, - તે છે અવસ્થાત્રય-ની. ઉપનિષદોમાં, અને સવિશેષ, માંડૂકય-ઉપનિષદમાં, “ૐકારનાં તત્ત્વજ્ઞાનનાં નિરૂપણના સંદર્ભમાં, ગૌડપાદાચાર્યે, તેમની કારિકાઓમાં, વ્યક્તિગત દેહમાં રહેલા આત્માની, ચૈતન્યની ત્રણ અવસ્થાઓ, –જાગ્રત–સ્વ–સુમિ, – સાથે એકતાનું નિરૂપણ કર્યું છે : * જાગ્રત-અવસ્થામાં ચિત્ત સક્રિય છે, સૃષ્ટિને સ્કૂલરૂપે જુએ છે; સ્વ-અવસ્થામાં ઇન્દ્રિયોના અનુભવના સંસ્કારથી મન સંકુલ બને છે અને તેથી સૃષ્ટિને સ્કૂલરૂપે જુએ છે. આમ છતાં, જાગ્રત તથા સ્વમ, - બંને અવસ્થાનું જગત તો મનોમય જ રહે છે. છેલ્લી અવસ્થા – સુષુપ્તિ – દરમિયાન તો સૃષ્ટિ રહેતી નથી, દૃશ્ય વિષયો જ નથી, વિષયોનો સંપૂર્ણ અભાવ હોય છે, એટલે તે અવસ્થામાં ચિત્ત નિષ્ક્રિય બની જાય છે. જાગ્રત પછી સ્વપ્રની અવસ્થામાં, ચિત્તરૂપે સક્રિય ભાસતો આત્મા, પોતાના આવિષ્કારોને સંકેલતો જાય છે, બાહ્યમાંથી આંતર થાય છે અને પછી, અંતે, સુષુપ્તિ અવસ્થામાં તો બીજરૂપે જ રહે છે. ગાઢ નિદ્રાની આ અવસ્થામાં આત્મા કોઈ પદાર્થની કામના કરતો નથી : જાગ્રત-માં બાહ્ય, સ્થૂલ રીતે અનુભવાય છે તેવો, કે સ્વમમાં આંતરિક, સૂક્ષ્મ રીતે અનુભવાય છે તેવો, કોઈ પણ પ્રકારે, ઇન્દ્રિયોનો અને વિષયોનો સંબંધ, આ અંતિમ-અવસ્થામાં, રહેતો નથી. આ શ્લોકમાં, “અહંકાર” આ ત્રણ અવસ્થાઓને પામે છે એમ કહેવામાં આવ્યું છે, અને તેનાં કારણ તરીકે, સત્ત્વ-રજ-તમસ એ ત્રણ ગુણો સાથેના, અહંકારના યોગને, એટલે કે સંબંધને નિરૂપવામાં આવ્યો છે : અહંકાર, આ ત્રણ ગુણોના સંબંધથી, અનક્રમે, સુખ-દુઃખ-મોહ પામે છે, અને એ જ ક્રમે અને અનુક્રમે, જાગ્ર-સ્વપ્ર સુપુમિ એ અવસ્થાત્રયને પામે છે. સાંખ્યદર્શન-પ્રબોધિત સત્ત્વ વગેરે ત્રણ ગુણોનું વ્યવસ્થિત અને શાસ્ત્રોક્ત નિરૂપણ, ગીતાના, “ગુણત્રયવિભાગયોગ” - નામના ૧૪મા અધ્યાયમાં કરવામાં વિવેકચૂડામણિ | ૨૦૫
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy