SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૧ નિષ્કર્ષમાં યાદ રાખવું કે વૈરાગ્યની પ્રબળ પાંખ વિના મુક્તિની પરમ ગતિ કે તેનો ઉદય-અસ્ત રહિત આનંદ અનુભવી શકાય નહીં. | (છંદ-શાર્દૂલવિક્રીડિત) वैराग्यानपरं सुखस्य जनकं पश्यामि वश्यात्मनः तच्चेच्छुद्धतरात्मबोधसहितं स्वाराज्यसाम्राज्यधुक् । एतद्द्वारमजनमुक्तियुवतेर्यस्मात् त्वमस्मात्परम् सर्वत्रास्पृहया सदात्मनि सदा प्रज्ञां कुरु श्रेयसे ॥३७७॥ वश्यात्मनः = જેણે મન ઉપર વિજય મેળવ્યો હોય, વૈરાથાત્ ન પર સુહસ્ય જનમ્ = તેને માટે વૈરાગ્યથી વધુ સુખકારક પશ્યામ = બીજું કાંઈ હું જોતો નથી. તત્ વેત્ = (અને) તે પણ જો શુદ્ધતર–માત્મવો સહિતમ્ = શુદ્ધતર આત્મજ્ઞાન સહિત હોય તો स्वाराज्यसाम्राज्यधुक् = સ્વતંત્ર (આત્મ)સામ્રાજ્યનું સુખ આપે છે. यस्मात् एतद् = કારણ કે આ (સુખ) मुक्तियुवतेः = મુક્તિરૂપી યુવતીના अजस्रं द्वारम् = વ્યયવિહીન સૌંદર્યદ્વાર સમાન છે. अस्मात् = માટે * = તારું કલ્યાણ થાય તે માટે સર્વત્ર સવા પૃદયા = બધે, નિઃસ્પૃહ થઈને સદા સત્ માત્મા પ્રજ્ઞા કુછ = સત આત્મામાં બુદ્ધિ કર. જે મનોજયને પ્રાપ્ત છે તેનું , મન ઉપર સંપૂર્ણ નિયંત્રણ છે અને તેવો મનનો ગુલામ નહીં પણ માલિક છે. મન તેનું સેવક છે અને પોતે વૈરાગ્યવાન સ્વામી છે. તેવા વૈરાગ્યસ્વામીને મનના વિજયથી અન્ય મહાન કે પરમ સુખ હોઈ શકે તેવું હું જાણતો નથી. તાત્પર્યમાં, મનોજય જેવા વૈરાગ્યથી પરમસુખ અન્ય કોઈ નથી અને તેમાં પણ જો તેવા વૈરાગ્યસુખ श्रेयसे
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy