SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ યવિ વિશ્વમ્ = જો જગત सत्यं भवेत् = સત્ય હોય તો सुषुप्तौ उपलभ्यताम् પ્રતીત થાય. (પણ) તે यत् ૪૦૫ = ન ૩પત્ત તે વિશ્વિત્=જરા પણ પ્રતીત થતું નથી. આથી સ્વપ્નની જેમ = - સુષુપ્તિ અવસ્થામાં અતઃ स्वप्नवत् असत् (સુષુપ્તિ અવસ્થામાં)મૃષા = = = અસત = અને મિથ્યા છે. જો જગત સત્ય છે તેવું સ્વીકારાય તો તો જેમ ઉપનિષદ અને ભગવાન કૃષ્ણની વાણી ખોટી ઠરે તે જ પ્રમાણે આપણા સૌનો સ્વાનુભવ પણ અસત્ય સાબિત થાય. જે સત્ય હોય તે તો ત્રણે કાળે અને ત્રણે અવસ્થામાં જણાવું જોઈએ. તેનો કદી અભાવ ન જ થવો જોઈએ. એ ન્યાયે જો જગત સત્ય તરીકે સ્વીકારાય તો તો સુષુપ્તિની અવસ્થામાં પણ જગત પ્રતીત થવું જોઈએ અને જાગ્રત અવસ્થામાં જોયેલા પર્વતો, નદીઓ, વૃક્ષો, મકાનો સર્વ કાંઈ સુષુપ્તિમાં દેખાવું જોઈએ. તથા જાગ્રતમાં અનુભવાયેલા ભોગો કે સુખની પણ ત્યાં અનુભૂતિ થવી જોઈએ. તદુપરાંત જાગ્રતના પ્રિય પાત્રો, સત્તા કે સંપત્તિનો સાથ કે સંગાથ સુષુપ્તિ સમયે છૂટવો ન જોઈએ. પરંતુ સૌનો સ્વાનુભવ છે કે જાગ્રતમાં દેખાયેલું જગત, તેનાં અનુભવો કે ભોગ ઇત્યાદિ સર્વનો સુષુપ્તિકાળે અભાવ સર્જાય છે. તેથી જગત સત્ય છે તેવું કદી માની શકાય નહીં, પરંતુ જગતને માત્ર એક કાળે રહેનારી પ્રાતિભાસિક સ્વપ્નવત સત્તા છે એવું માની, જગત સ્વપ્નની જેમ ક્ષણજીવી, અસત અને મિથ્યા છે તેવું લૌકિક સ્વાનુભવથી પણ સમજાય છે. હવે જો જગતને સત્ય માનીએ તો તો માનવીનો સ્વાનુભવ પણ ખોટો થઈ જાય. આમ, શ્રુતિવચનથી, ભગવાન શ્રીકૃષ્ણના ગીતોપદેશથી તથા સૌના સ્વાનુભવે સમજાય છે કે જગત સત્ય નથી પરંતુ બ્રહ્મ એક જ સત્ય અને નિત્ય છે અને તેથી અન્ય જે કંઈ છે તે મિથ્યા, અસત અને અનિત્ય છે. આવું હોવાથી જ તેજોબિંદુ ઉપનિષદે ગર્જના કરીને કહ્યું કે જો મરેલો માણસ એક મહિના પછી પાછો જીવતો
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy