SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને તમોગુણનું બંધન અત્રે જણાવાયું છે કે મહાન પ્રચંડ સૂર્યને જેવી રીતે રાહુ ઢાંકી દે છે અગર સૂર્ય અને મનુષ્યની આંખ વચ્ચે જો એક નાનકડું વાદળું આવે તો પણ આંખ આગળનું વાદળું, આવરણ ઊભું કરી સૂર્યને ઢાંકી દે છે. તેવી જ રીતે એક, અખંડ, સર્વવ્યાપ્ત, નિત્ય અવિનાશી અને પોતાની બોધ કે જ્ઞાનશક્તિથી ઝળહળતાં અનંત વૈભવવાળા આત્માને પણ તમોગુણની આવરણશક્તિ અંતઃકરણને પ્રમાદી, આળસુ અને ક્રિયાશૂન્ય બનાવી ઢાંકી દે છે કે આચ્છાદિત કરે છે. આમ, શુદ્ધ અંતઃકરણ કે બુદ્ધિને આત્મતત્ત્વનું યથાર્થ જ્ઞાન ન થવા દેવું અને મુમુક્ષુને સ્વરૂપથી અજ્ઞેય અને અજ્ઞાત રાખી તેનો આત્મજ્ઞાનનો પંથ રૂંધી નાંખવો. તે જ તમોગુણથી ઉત્પન્ન થયેલું બંધન છે. આવા બંધનને જન્માવનાર શક્તિને આવરણશક્તિ કહેવામાં આવે છે. ૨૮૫ (છંદ-શિખરિણી) तिरोभूते स्वात्मन्यमलतरतेजोवति पुमान् अनात्मानं मोहादहमिति शरीरं कलयति । ततः कामक्रोधप्रभृतिभिरमुं बन्धनगुणैः परं विक्षेपाख्या रजस उरुशक्तिर्व्यथयति ॥१४२॥ अमलतरतेजोवति અતિ નિર્મલ તતઃ તેજવાળું स्वात्मनि तिरोभूते = આત્મતત્ત્વ રનસઃ = રજોગુણની = = पुमान् : પુરુષ मोहात् : મોહને લીધે = તેથી વિક્ષેપાવ્યા =‘વિક્ષેપ' નામની = ઢંકાઈ જાય છે ત્યારે પર શક્ત્તિ: =મહાન શક્તિ હ્રામોધપ્રવૃત્તિમિઃ-કામ, ક્રોધ જેવા વન્ધનનુÎઃ = બંધનમાં નાંખનાર ગુણો વડે ઊનાત્માનં શરીરન્-અનાત્મા શરીરને ‘અહં’કૃત્તિ-‘(આ)હું જ છું' એમ મુક્ એને = યતિ = સમજે છે. વ્યથતિ = બહુ હેરાન કરે છે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy